Book Title: Arihant Bhakti
Author(s): Kundakundvijay
Publisher: Namaskar Mahamantra Aradhak Mandal

View full book text
Previous | Next

Page 585
________________ પ૪૬ વિરતિ ધર્મને લાયક થાય છે. તેથી તેને સાધુતાને અભ્યાસ પણ કહી શકાય. રોજ ઓછામાં ઓછી બે ઘડી એટલે સમય આ સાધુતાને અભ્યાસ ગૃહસ્થને અતિ લાભદાયી છે. એથી શાન્તવૃત્તિ, સંતોષવૃત્તિ અને રાગ-દ્વેષનાં હેતુએમાં રાગ-દ્વેષ ન કરવા રૂપ સમતાવૃત્તિ કેળવાય છે. સામાયિક કરવું એટલે ચિત્તવૃત્તિને શાન્ત કરવાને અભ્યાસ કરે. સમભાવમાં સ્થિર થવાને, મધ્યસ્થ ભાવને કેળવવાને અને સર્વ જી પ્રત્યે સમાન વૃત્તિ અર્થાત સર્વાત્મભાવને કેળવવાને પ્રશસ્ત અભ્યાસ, એનું જ બીજું નામ સામાયિક છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પણ એ સામાયિક ચાર . પ્રકારનું છે. દ્રવ્યથી ધપકરણને છોડીને બીજા સર્વ દ્રવ્યોને ત્યાગ કરે, ક્ષેત્રથી સામાયિક કરવા જેટલી જગ્યાને છોડીને બીજી જગ્યાનો ત્યાગ કર, કાળથી બે ઘડી પયત સામાયિકમાં રહેવાને નિર્ણય કરે અને ભાવથી રાગ-દ્વેષરહિતતા અને સમભાવસહિતતા અથવા અશુભ ધ્યાનને ત્યાગ અને શુભ ધ્યાનને સ્વીકાર કરે. અશુભ ધ્યાન આ અને શૈદ્રવરૂપ છે. એ બે ધ્યાનને ત્યાગ કરવા માટે મૈથ્યાદિ ચાર અને અનિત્યવાદિ બાર ભાવનાઓને વિચાર કરે તથા વચન અને કાયાના અશુભ વ્યાપારથી બચવા માટે તેટલા વખત સુધી સર્વ સાંસારિક પ્રવૃત્તિઓને ત્યાગ કરે. સામાયિકની આ પ્રતિજ્ઞા વટેમાર્ગુને વૃક્ષની છાયાની જેમ સંસારનાં વિવિધ તાપથી સંતપ્ત આત્માને શાન્તિ

Loading...

Page Navigation
1 ... 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608