Book Title: Arihant Bhakti
Author(s): Kundakundvijay
Publisher: Namaskar Mahamantra Aradhak Mandal
View full book text
________________
શ્રી વજપર ઇદે રચેલા ભવ્ય આસન ઉપર, બેસી અલંકારે ત્યજે દીક્ષા સમય ભગવંત જે; જે પંચમુષ્ટિ લોચ કરતા કેશ વિભુ નિજ કર વડે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૭ લેકારાગત ભગવંત સર્વે સિદ્ધને વંદન કરે, સાવદ્ય સઘળા પાપગોના કરે પચ્ચકખાણને; જે જ્ઞાન દર્શન ને મહા ચારિત્ર રત્નત્રયી રહે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૮ નિર્મળ વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન સહ જે દીપતા, જે પંચ સમિતિ ગુપ્તિયની રયણમાળા ધારતા દશ ભેદથી જે શ્રમણસુંદર ધર્મનું પાલન કરે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૯ પુષ્કર-કમલના પત્રની શાંતિ નહિ લેપાય છે, ને જીવની માફક અપ્રતિહત વર ગતિએ વિચરે; આકાશની જેમ નિરાલંબન ગુણ થકી જે ઓપલા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૨૦ તે અખલિત વાયુસમૂહની જેમ જે નિબંધ છે, સંગપિતાંગ ઉપાંગ જેને ગુપ્ત ઈન્દ્રિય દેહ છે; નિઃસંગતાય વિહંગ શી જેના અમૂલખ ગુણ છે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૨૧ ખગી તથા વરશંગ જેવા ભાવથી એકાકી જે, ભારંડ પંખી સરિખા ગુણવાન અપ્રમત્ત છે; વ્રતભાર વહેતા વર વૃષભની જેમ જેહ સમર્થ છે, એવા પ્રભુ અહિતને પંચાંગ ભાવે હું નમું ૨૨

Page Navigation
1 ... 600 601 602 603 604 605 606 607 608