Book Title: Arihant Bhakti
Author(s): Kundakundvijay
Publisher: Namaskar Mahamantra Aradhak Mandal
View full book text
________________
પદ
જે બાહયવયમાં પ્રૌઢ જ્ઞાને મુગ્ધ કરતા લેકને, સેલે કળા વિજ્ઞાન કેશ સારને અવધારીને, ત્રણ લેકના વિસ્મય સમા ગુણ રૂ૫ વૌવન યુક્ત જે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૧ મૈથુન પરીષહ રહિત જે આનંદતા નિજ ભાવમાં, મૈથુન પરીષહ વારવા વિવાહ કંકણું ધારતા, ને બ્રહ્મચર્ય તણે જગાવ્યા નાદ જેણે વિશ્વમાં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૨ મૂછ નથી પામ્યા મનુજના પાંચ ભેદે ભોગમાં, ઉત્કૃષ્ટ જેની રાજ્યનીતિથી પ્રજા સુખચેનમાં, વળી શુદ્ધ અધ્યવસાયથી જે લીન છે નિજ ભાવમાં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૩ પામ્યા સ્વયંસંબુદ્ધ પદ જે સહજ વર વિરાગવંત, ને દેવ લોકાંતિક ઘણું ભક્તિ થકી કરતા નમન; જેને નમી કૃતાર્થ બનતાં ચાર ગતિનાં છવગણ, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૪
આ પધારો ઈષ્ટ વસ્તુ પામવા નર નારીઓ, -એ ઘેષણથી અપંતા સાંવત્સરિક મહાદાનને, ને છેદતા દારિદ્ય સૌનું દાનના મહાકલ્પથી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૫ દિક્ષા તણે અભિષેક જેનો જતા ઈંદ્રો મળી, શિબિકા સ્વરૂપ વિમાનમાં વિરાજતા ભગવંતશ્રી, અશોક પુત્તમ તિલક ચંપા વૃક્ષ શેશિત વનમહી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૬

Page Navigation
1 ... 599 600 601 602 603 604 605 606 607 608