________________
સમવસરણસ્થ ભગવાનનું ધ્યાન
કરવાની વિધિ.
સમવસરણમાં વિરાજમાન ચતુર્મુખ ભગવન્તના ધ્યાનથી અંતરાય કમને ક્ષય વગેરે અનેક લાભ થાય છે. એ માટે શ્રી દેવભદ્રાચાર્ય વિરચિત પરિવારનારિયં માં શિવદત્ત મંત્રીના પુત્ર દેવપ્રસાદનું દષ્ટાન આપવામાં આવ્યું છે. સંક્ષેપમાં તે આ રીતે છે –
શિવદત્ત નામનો રાજમંત્રી છે. તે દારિદ્રય અને રાજાના અપમાનથી પીડાય છે. મંત્રીના કુટુંબમાં મંત્રી પિત, મંત્રીની પત્ની, પુત્ર દેવપ્રસાદ તથા તે પુત્રની પત્ની એમ ચાર જણ છે.
શિવદત્તને એક વખત જ્ઞાની મુનિને યોગ થાય છે. તે પિતાના દારિદ્રય વગેરેનાં કારણે તે મુનિને પૂછે છે અને મુનિ તેમનાં પૂર્વભવનું વૃતાન્ત જણાવતાં કહે છે કે
પૂર્વકૃત કમેનાં કારણે તમે બધાને એક કુટુંબ મળ્યું છે. તમારા બધામાં દેવપ્રસાદનું અંતરાયકર્મ બહુ ભારી છે. તેથી તમે બધાને આ દરિદ્રતા, રાજાપમાન વગેરે પ્રાપ્ત થયાં છે.” આ સાંભળી દેવપ્રસાદ મુનિનાં ચરણોમાં પડે છે