________________
સામાયિક ધર્મ
રાગ-દ્વેષનાં અભાવરૂપ આત્માનાં મધ્યસ્થ પરિણામ અને તે વખતે થતા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ગુણ્ણાના આત્માને જે લાભ, તેને શાસ્ત્રકાર ભગવંતા સામાયિક ધમ કહે છે.
" समानां मोक्षप्रतिसमानसामर्थ्यानां ज्ञानदर्शन चारित्राणामायः - लाभः समाया, समाय एव सामायिकम् ।
ܕܕ
સમ એટલે માક્ષ પ્રાપ્ત કરવા માટે સમાન સામર્થ્ય – વાળા, આત્માનાં જ્ઞાન-દન-ચારિત્ર રૂપ ગુણા, તેના લાભ એટલે સામાયિક, જે પરિણામને ધારણ કરવાથી આત્મા સમવૃત્તિવાળા અને, રાગ-દ્વેષ રહિત થાય, સવ પ્રાણીઓને પેાતાનાં આત્માની જેમ જુએ, તે સામાયિકના પરિણામ છે. સામાયિક એ સવ મૂળ ગુથેાનાં આધારભૂત છે, 'સવ સાવધ વ્યાપારાનાં ત્યાગરૂપ છે. કહ્યું છે કે—
सामायिकं गुणानामाधारः, खमिव सर्वभावानाम् । नहि सामायिकहीं नाश्चरणादिगुणान्विता येन || १ || तस्माज्जगाद भगवान्, सामायिकमेव निरुपमोपायम् । શારો માનતાને-ટુઃવનારામ્ય મોક્ષમ્ય | ૨ ||