Book Title: Arihant Bhakti
Author(s): Kundakundvijay
Publisher: Namaskar Mahamantra Aradhak Mandal

View full book text
Previous | Next

Page 576
________________ ધર્મને પ્રભાવ દશ પ્રકારના ચારિત્રધર્મના પ્રભાવથી સૂર્ય-ચંદ્ર વિશ્વ ઉપર ઉપકાર કરવા દરરોજ ઉદય પામે છેઃ વરસાદ સમયસર વરસે છે, સમુદ્ર મર્યાદા છેડતે નથી, સિંહ વાઘ, વાવાઝોડા, દાવાનળ સંહાર કરતા નથી, પૃથ્વી આધાર વિના ટકી રહે છે. એ વગેરે સર્વ નિયમિતપણે વિશ્વમાં વ્યવસ્થિત રીતે ચાલુ રહ્યું છે, તે સર્વ ધર્મનો પ્રભાવ છે. શાસ્ત્રકાર મહષિઓ ધર્મભાવના નામની બારમી ભાવનામાં ધર્મને પ્રભાવ એ રીતે વર્ણવે છે. હમતથા”—એ પદની ટીકા કરતાં પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મ. લલિત વિસ્તરા નામના ગ્રન્થરત્નમાં ફરમાવે છે કે 'सामायिकादिगतविशुद्धक्रियाऽभिव्यङ्ग्यसकलसत्त्वहिताशयामृतलक्षणस्वपरिणाम एव साधुधर्मः ।' અર્થ-સામાયિકાદિની વિશુદ્ધ ક્રિયાથી અભિવ્યક્ત થત સકલ પ્રાણીઓના હિતના આશયરૂપ અમૃત લક્ષણ સ્વપરિણામ એ જ સાધુધર્મ છે.” આને સર્વવિરતિ ચારિત્રધર્મ કહે છે. ધર્મ એટલે જ ચારિત્રધર્મ. એ સાધુધર્મને પ્રાપ્ત કરવાને પરિણામ એ ૩૫

Loading...

Page Navigation
1 ... 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608