________________
છે અને પુણ્ય એ અમૃતતુલ્ય છે. એ રીતે પાપ-પુણ્યને ભેદ જેના અંતરમાં થયે નથી, એ આત્માનું ઔદાર્ય અને દાક્ષિણ્ય વપરના ફાયદા માટે થવાને બદલે કેટલીક વાર નુકશાનને માટે થવાને વધારે સંભવ છે. એ કારણે ધર્મી આત્માના અંતઃકરણમાં ચોથું લક્ષણ નિર્મળ બોધ પણ છે. એથી એ પાપ-પુણ્યને ભેદ સમજી શકે છે અને પાપને પરિહાર તથા પુણ્યને સ્વીકાર કરવાના કાર્યમાં સદા સાવ ધાન રહી શકે છે. એના પ્રભાવે એનું ઔદાર્ય કે દાક્ષિણ્ય પાપના માગે ઘસડાઈ જતું બચે છે.
ધર્મનું ચોથું લક્ષણ નિર્મળ બોધ છે, તેથી તેના કારણે આત્મામાં સદા પાપની જુગુપ્સા જાગતી રહે છે અને તેનાથી જ પુણ્યની પ્રશંસા પણ તેના આત્મામાં સદા કાળ રમતી હોય છે. વળી તેના જ કારણે તેના ઔદાર્ય- દાક્ષિશ્યાદિ સદ્દગુણો અને તેને સદુપયોગ પણ વધતો જ રહે છે અને પરિણામે તે આત્મા આ લેકમાં યશ-કીતિને અને પરલોકમાં સાતિને ભાગી થઈ શકે છે.