________________
પ૪
બહાર આવવા માટે જેમ નિર્મળ મૂળની અપેક્ષા છે, તેમ
ઔદાર્ય–દાક્ષિણ્યાદિ ગુણોને બહાર આવવા માટે તેના વૃક્ષની કે તે વૃક્ષના અખંડિત મૂળની આવશ્યકતા છે; અને તે મૂળનું જ નામ નિર્મળ ધર્મ છે.
આત્મામાં રહેલે તે ધર્મ વર્તમાનકાળે ઉદારતાદિ ગુરૂપી અંકુરાદિ દ્વારા પ્રગટ થાય છે અને આગામી કાળે સુર-નરની સંપત્તિરૂપી પુષ્પ અને સિદ્ધિના અનંતા સુખે રૂપી ફળ રૂપે પ્રગટ થાય છે. જે આત્મામાં ઉદારતાદિ ગુણે હજુ પ્રગટયા નથી તે આત્મા બહારથી ધર્મની આરાધન કે સાધના કરતે હેય, તે પણ અંદરથી ધર્મને પામેલે જ છે-એ નિશ્ચય કરી શકાતું નથી.
ધર્મવૃક્ષનો પ્રથમ અંકુર ઔદાર્ય છે. દાન નહિ પણ ઔદાર્ય. દાન અને ઔદાર્યમાં ભેદ છે. સામાને જરૂર છે અને અપાય છે-એ દાન છે અને પિતાને-દાતાને દાન કર વાની જરૂર છે અને અપાય છે-એ ઔદાર્ય છે. જે દાન અપાય છે શક્તિ મુજબ, પણ આપવાની ભાવના છે સર્વ સ્વની, તે દાન ઔદાર્ય ગુણથી ભરપૂર છે. જે દાન શક્તિ મુજબ પણ અપાતું નથી, એટલું જ નહિ પણ આપવાની પાછળ લેનારની જરૂરીઆતને જ આગળ કરવામાં આવેલી હોય છે, તે દાન ઔદાર્યની ખામીવાળું છે. ઉદાર આત્મા દાન લેનારની જરૂરી આતને જેટલી અગત્યતા આપે છે, તેથી કઈ ગુણ અધિક અગત્યતા પિતાને આપવાની માને છે. દાન નહિ દેવાથી સામાનું કાર્ય બગડી જવાનો ભય તેને