________________
ધર્મની ઓળખ
દુનિયામાં બે પ્રકારના પદાર્થો છે. તે કેટલાક દશ્ય છે અને કેટલાક અદશ્ય છે. દશ્ય પદાર્થો દેખવા માટે ચક્ષુ આદિ ઈન્દ્રિય સિવાય બીજાં સાધનની જરૂર પડતી નથી. અદશ્ય પદાર્થો કેવળ ઇન્દ્રિયોથી જોઈ શકાતા નથી. તેને જોવા માટે બીજા પદાર્થોની સહાય લેવી પડે છે.
જેમ કે–પર્વતની ટોચ ઉપર રહેલા અગ્નિને જાણવા માટે, નીચે રહેલા માણસને એ અગ્નિમાંથી અવિચ્છિન્ન ધારાએ નીકળેલી ધૂમલેખાની સહાય લેવી પડે છે અને એ ધૂમલેખાને જોઈને તે પુરુષ પિતાની આંખને અદશ્ય એવા અગ્નિને પણ જાણી શકે છે.
એ જ વાત છે ભૂતળના તળ નીચે છૂપાયેલા વૃક્ષના મૂળને જાણવાની કે આકાશના વાદળ નીચે છૂપાયેલા સૂર્યના ' કિરણને જાણવાની. વૃક્ષના પાન જે લીલાછમ છે કે ફૂલ અને ફળ નિયમિતપણે ઉગે છે, તે તે વૃક્ષનું મૂળ ભૂમિકા માં અવશ્ય સાજું, તાજું અને અખંડિત છે-એમ નિશ્ચિત થાય છે. અથવા વાદળની ઘનઘર છાયા વખતે હજુ રાત્રિ થઈ નથી પણ દિવસ છે-એમ સમજી શકાય છે, તે તે અન્નપટલની પાછળ સૂર્ય હજુ ગતિ કરી રહ્યો છે પણ અસ્ત