________________
પા શદાદિ વિષયોનાં સુખે, એ પાપવૃદ્ધિનાં હેતુભૂત હેવાથી, પાપાનુબંધી પુણ્યરૂપ (જેને ભગવટે નવાં પાપ બંધાવે, તે પાપાનુબંધી પુણ્ય) ધર્મનું ફળ હોવાથી ત્યાજ્ય છે.
જે ભૌતિક સુખોની ઉત્પત્તિમાં પાપ નથી, રક્ષણમાં કલેશ નથી, વર્તમાનમાં દુઃખ નથી, ભવિષ્યમાં દુર્ગતિ નથી, અનાયાસે જે સિદ્ધ થાય છે, અનીતિપૂર્વકનાં ભાગમાં . જેનો દુર્વ્યય નથી તથા ધર્મોન્નતિ અને ધર્મવૃદ્ધિમાં જ જેને સદુપગ છે, એવાં સુખની પ્રાપ્તિ પુણ્યાનુબંધી પુણ્યરૂપી ધર્મનાં સંબંધથી છે. તે ઉત્તરોત્તર શુભ ગતિની પ્રાપ્તિમાં નિમિત્તભૂત બનીને જીવને અંતે અપવર્ગનાં અવ્યાબાધ સુખની પ્રાપ્તિ કરાવે છે. તેનું જ નામ નિઃશ્રેયસ છે. નિઃશ્રેયસનાં સુખ એ નિરુપાધિક છે અર્થાત્ પરદ્રવ્યનાં સંયોગ વિના જ થાય છે. એ સુખને આધાર કેવળ આત્મા જ છે. આત્માના સ્વરૂપમાંથી ઉત્પન્ન થતાં સુખ એ જ પરમાર્થ સુખે છે. તેની પ્રાપ્તિનો આધાર નિરલક્ષી ધર્મ છે. એ રીતે શુભાશુભ કર્મના ક્ષયથી મળતાં અવ્યાબાધ સુખ એ નિજર અથવા અનાશ્રવરૂપ ધર્મની પદાશ છે. અધર્મથી નિપજતાં દુખને દૂર કરવાને ઉપાય સર્વોક્ત ઉભય પ્રકારને શુભાશવરૂપ કે અનાશ્રવરૂપ નિજેરાલક્ષી ધર્મ છે.