________________
૫૧૩
વ્યવહાર અને નિશ્ચય એ મને નયાને ગૌણ-મુખ્ય રાખી પ્રવૃત્તિ કરતાં વસ્તુના યથાર્થ ખાધ થાય છે. જે વખતે વ્યવહારની મુખ્યતા હોય, તે વખતે નિશ્ચયની ગૌણતા હાય અને જે વખતે નિશ્ચયની મુખ્યતા હોય તે વખતે વ્યવહારની ગૌણતા હૈાય. આમ બન્ને નયષ્ટિમાં જ્યારે જેની જરૂરીયાત હોય ત્યારે તેના ઉપયાગ બીજી દૃષ્ટિના તિરસ્કાર ન કરતાં સમભાવની દૃષ્ટિએ કરવામાં આવે તા વસ્તુતત્ત્વના યથાર્થ અનુભવ થાય છે.
સમ્યગ્જ્ઞાનવાળા, ક્રિયાને વિષે તત્પર, ઉપશમવાળા જ્ઞાનાદિ ગુણેાવડે ભાવિતાત્મા, અને જે જિતેન્દ્રિય છે તેઓ પાતે સસારસમુદ્રથી તરેલા છે અને તે બીજાને પણ તારવાને સમર્થ બને છે.
ક્રિયા રહિત એકલું જ્ઞાન અનથક-માક્ષરૂપ ફળ સાધ વાને અસમર્થ છે. માગના જાણનાર પણ ગમનક્રિયા કર્યા સિવાય ઈચ્છિત નગરે પોંચી શકતા નથી.
જેમ દીવા પાતે સ્વપ્રકાશરૂપ છે, તા પણ તેલ પૂરવા વિગેરે ક્રિયાની અપેક્ષા રાખે છે, તેમ પૂજ્ઞાની પણ અવસરે સ્વભાવરૂપ કાર્ય ને અનુકૂલ ક્રિયાની અપેક્ષા રાખે છે.
મા ક્રિયા તા ખાા ભાવ છે, ' એ રીતે માહ્ય ક્રિયાના ભાવને આગળ કરીને જેએ વ્યવહારથી ક્રિયાના નિષેધ કરે છે, તેએ મુખમાં કાળી નાખ્યા સિવાય તૃપ્તિને ઇચ્છે છે.