________________
પર૬
ઉપશમરૂપ અમૃતના છંટકાવ કરનારી છે, એવા શુભ જ્ઞાન અને ક્રિયામાં મગ્ન થયેલા મહાત્માને નમસ્કાર હો !
અહી માક્ષમાગ માં જ્ઞાનથી આત્મસ્વરૂપનું જ્ઞાન લેવાનું છે. અને ક્રિયાથી હિંસાદિ અશુભ ક્રિયાએાથી નિવારણ કરનારી ક્રિયા સમજવાની છે. માક્ષમાગ માં આત્મજ્ઞાનશૂન્ય જ્ઞાન, સમગ્ર જગતનુ થાય તેા પણ તેની કાંઈ જ કિ’મત નથી, તેમ જ્ઞાન, અધ્યાત્મ આદિના નામે અહિંસાદિ શુભ ભાવાને ઉત્તેજન આપનારી શુભ ક્રિયાઓને નિષેધ જેમાં ન હાય તે જ સાચા માક્ષમાગ છે.
શુભ ક્રિયાપૂર્વકનું શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનપૂર્વકની શુભ ક્રિયા માક્ષમાગ છે. આત્માર્થી જીવાએ તે બંનેનું' યથાય સ્વરૂપ સમજીને તે બંનેમાંથી એકની પણ ઉપેક્ષા કર્યા વિના યથાશક્રય આરાધક જીવન ગાળવા પ્રયાસ કરવા
જોઇએ.