________________
પર
હંમેશાં અસદાર'ભમાં રહેલાએને વ્યવહાર ક્રિયા ખૂબજ ઉપયાગી છે. વૃત્તિઓમાં રહેતી સ્થૂલ મલિનતાને ઉત્તમ વ્યવહારવાળા દાન, દયા, તપ, જપ, વંદન, પૂજન, પ્રતિક્રમણ આદિ ક્રિયાઓથી દૂર કરી શકાય છે, જ્યારે મનમાં રહેલી સૂક્ષ્મ મલિનતાને વિવેકદૃષ્ટિવાળા વિચારથી વિશુદ્ધ કરી શકાય છે.
ક્રિયામાગ માં પ્રવેશ કરનાર મનુષ્યને પોતાના મને, વચન અને કાયાને વ્રત, તપ, જપ આદિ યમ-નિયમમાં અહર્નિશ પ્રવર્તાવવા પડે છે અને જ્ઞાનમાગ માં પ્રવેશ કરનાર મનુષ્યને ક્રિયામાગ માં દૃઢતા થયા પછી અહર્નિશ આત્માપયેગમાં તત્પર રહેવુ' પડે છે.
જે ભૂમિકામાં જે ઘટે નહિ તે જીવ કરે તે તે ભૂમિકાના સ્હેજે ત્યાગ થાય છે.
સિદ્ધાંતમાં જ્યાં નિશ્ચયધમ નુ વણ્ ન છે, ત્યાં નિશ્ચયધર્મા આદર કરવા માટે છે પણ વ્યવહારધર્મના ખ`ડન માટે નથી, તેમ વ્યવહારધનુ વર્ષોંન છે ત્યાં વ્યવહારધર્મના માદર માટે છે પણ નિશ્ચયના ખ‘ડન માટે નથી. વ્યવહાર અને નિશ્ચયની ગૌણુતા-મુખ્યતા પ્રત્યેક જીવના અધિકાર પ્રમાણે જાણવી. સાપેક્ષબુદ્ધિએ સર્વ સત્ય છે.
સમાધિયાગ ઉપર ચઢવાની ઇચ્છાવાળા સાધકને માહ્ય ક્રિયાની જરૂર રહે છે અને યાગરૂપ ગિરિશિખર ઉપર ચઢા પુરૂષ કેવળ શમથી શુદ્ધ થાય છે.