________________
એક ગામમાં આગ લાગવાથી ગામના બીજા બધા માણસો તે પિતાને જીવ બચાવવા માટે ભાગી ગયા પણ એક આંધળે હતું, તે આખે નહિ દેખવાથી અને એક પાંગળે હતું, તે દેખાવા છતાં પણ પગ નહિ હોવાથી તે બને આગનું સ્થાન છેડી શક્યા નહિ અને આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયા. જે તેઓ પરસ્પર મલી ગયા હતા અને અધિળાએ પાંગળાની આંખની અને પાંગળાએ આંધળાના પગની મદદ લીધી હતી તે બન્ને બચી શક્યા હોત. આ દષ્ટાન્તને ઉપનય એ છે કે ક્રિયા વગરનું જ્ઞાન પાંગળું છે અને જ્ઞાન વિનાની ક્રિયા આંધળી છે. એ બેને પરસ્પર સંગ ન થાય અથત બને પરસ્પર સાપેક્ષ ન બને તે બનેને નાશ થાય. અર્થાત્ એકલા ક્રિયાવાન કે એકલા જ્ઞાનવાનને આ સંસારરૂપી આગમાં નાશ થયા વિના રહે નહિ.
વસ્તુસ્થિતિ આમ હોવા છતાં એકલા જ્ઞાનને કે એકલી ક્રિયાનો પક્ષપાત જીવને શાથી થાય છે? તેના પણ કારણે છે અને તે એ છે કે શાસ્ત્રોમાં જ્ઞાનને મહિમા ગાતી વખતે ક્રિયાની તુચ્છતા બતાવી હોય છે અને ક્રિયાને મહિમા ગાતી વખતે જ્ઞાનની નિ સારતા વણવી હોય છે. અશુદ્ધ જીવમાં અનાદિની આ શુદ્ધતાના કારણે બે દોષે ઘર કરી ગયા હોય છે, એક તે શુભ કિયામાં આળસ અને અશુભ ક્રિયામાં ઉત્સાહ તથા બી જે દેષ આત્મસ્વરૂપ અજ્ઞાન અને પરસ્વરૂપમાં આત્મસ્વરૂપને ભ્રમ. આ બે દે