________________
મેક્ષપ્રાપ્તિને સાચો ઉપાય
(જ્ઞાન-ક્રિયાલ્યાં મોક્ષ) આત્માની શુદ્ધ અવસ્થા તે મોક્ષ છે. અને અશુદ્ધ અવસ્થા એ સંસાર છે. અશુદ્ધ અવસ્થામાં રહેલે જીવ શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિ કેવી રીતે કરી શકે, અર્થાત્ તેને ઉપાય શું ? એ બતાવવા માટે શાસ્ત્રકારોએ “જ્ઞાન-વિગ્યાં મોક્ષ: ” એ સૂત્રની રચના કરી છે. જીવનો મોક્ષ એકલા જ્ઞાનથી કે એકલી કિયાથી નથી, પણ એ બેના સંગથી જ છે. એ વાતને આ સૂત્ર સંક્ષે પથી જણાવે છે. બીજા શબ્દોમાં કહેવું હોય તે એમ કહી શકાય કે ક્રિયા નિરપેક્ષ જ્ઞાન, એ જ્ઞાન જ નથી. સાચું જ્ઞાન, ક્રિયા સહિત જ હેય છે અને સાચી ક્રિયા, જ્ઞાનપૂર્વક જ થાય છે, એ રીતે કિયા અને જ્ઞાન, જલ અને તેના રસની જેમ પરસ્પર મળેલાં જ હોય છે. જલ અને તેને રસ એ જેમ જુદા પાડી શકાતા નથી, તેમ સમ્યજ્ઞાન અને સમ્યફ ક્રિયા પણ એક બીજાથી જુદી પાડી શકાતી નથી. દારિદ્રયથી હણાયેલો પુરુષ જે ચિંતામણિના સ્વરૂપને જાણનારો હોય, તે તેની પ્રાપ્તિના ઉપાયને છેડીને બીજી પ્રવૃત્તિ કરી શકે નહિ અને જે કરે તે તે ચિંતામણિના સ્વરૂપને જાણનાર છે એમ કહી શકાય નહિ. તેમ અશુદ્ધ અવસ્થામાં રહેલે જીવ