________________
શ્રી નમસ્કાર મહામંત્રની ધારણા
શ્રી નમસ્કાર મહામંત્રના જાપ, સ્મરણુ આદિમાં એકાગ્રતા કેળવવા માટે ધારણાના અભ્યાસની ખાસ જરૂર છે. ધારણાના નિયમિત અભ્યાસથી નમસ્કાર મહામત્રની આરા ધના ઘણી વેગવતી બને છે.
શરીરની બહાર શ્રી જિનપ્રતિમાજી અથવા બીજા પણ કોઈ પ્રશસ્ત માહ્ય આલખનમાં કે શરી૨ની અંદર હૃદય આદિ કાઈ સ્થાનમાં મનેવૃત્તિને એકાગ્ર કરવા પ્રયત્ન કરવા તેનું નામ ધારણા છે.
ધારણાના અભ્યાસીએ સિદ્ધાસન, પદ્માસન કે સ્વસ્તિકાસન વગેરેમાંથી કાઈ એક આસને બેસવું જોઇએ તથા ઇન્દ્રિયાને અને મનને સ્વસ્થ કરવાં જોઇએ.
નવકારની ધારણા મુખ્યત્વે નવકારના અક્ષરો ઉપર કે પ'ચપરમેષ્ઠિની આકૃતિ ઉપર કરવાની હોય છે અને તે મૂર્તિઓ કે અક્ષરાને શરીરની અંદર કે બહાર અષ્ટદલ કમળ ઉપર સ્થાપન કરવાના છે.