________________
પ. અશુદ્ધ મનને શુદ્ધ કરવાનું અને ચંચલ મનને સ્થિર કરવાનું કાર્ય અતિ દુષ્કર છે, તે પણ પંચપરમેષ્ટિના ધ્યાનથી અને ભક્તિપૂર્વકના નમસ્કારથી તે સુલભ બને છે. કારણ કે પંચપરમેષ્ઠિ શુદ્ધસ્વરૂપવાળા, સ્થિર અને શાશ્વત છે.
સમુદ્રથી દૂર રહેલા સ્થાનમાંથી મનુષ્ય જેમ જેમ સમુદ્રની સમીપ આવતે જાય છે, તેમ તેમ સમુદ્ર પરથી આવતા પવનની શીતલ લહેરો વડે તેને તાપ શમતે જાય છે અને આનંદ વધતો રહે છે, તેમ ધ્યાનવડે મનુષ્ય પિતાના બહિર્મુખ મનને જેમ જેમ પરમતત્વની અભિમુખ કરી સમીપ આવતો જાય છે, તેમ તેમ અંતઃકરણમાં અપૂર્વ શાંતિ, સમતા, તૃપ્તિ અને નિર્ભયતાને આનંદ અનુભવતે જાય છે. અથવા મોટા રાજાની સાથે અનુકૂળ સંબંધથી જોડાયેલા સામાન્ય માણસની પણ બાહ્યા-આંતર સ્થિતિમાં મોટા ફેર પડી જાય છે, તેમ જ્ઞાનાનંદ વભાવવાળા પંચ પરમેષ્ઠિઓ સાથે ધ્યાન વડે એકતાને અનુભવનારો મનુષ્ય પણ પિતાની અંદરની અને બહારની સ્થિતિમાં મોટે ભેદ અનુભવ્યા સિવાય રહેતો નથી. જ્યાં જ્યાં તે સ્થિતિ બદલાતી ન જણાય ત્યાં ત્યાં સમજવું કે પરમેષ્ઠિએનું ધ્યાન રીતે કરી શકાયું નથી.
ધારણાકાળે એયની પ્રતીતિ ન્યૂન હોય છે અને અહંવૃત્તિની પ્રતીતિ વિશેષ હોય છે, થાનકાળે ધ્યેયની પ્રતીતિ પ્રબળ બને છે અને અહંવૃત્તિની પ્રતીતિ ઘટી જાય છે.
ચોર આદિના ભયવાળા નગરમાં રહેનારા ધનાઢ્યો