________________
ધ્યાનસાધના.
( યાગશાસ્ત્રના આધારે )
मोक्षः कर्मक्षयादेव, स चात्मज्ञानतो भवेत् । ध्यानसाध्यं मतं तच्च, तदुद्ध्यानं हितमात्मनः । યોગશાસ્ત્ર પ્રકાશ ૪-૧૧૩
માક્ષ ક્રમ ક્ષયથી થાય છે, ક્રમના ક્ષય આત્મજ્ઞાનથી થાય છે અને એ આત્મજ્ઞાન ધ્યાનથી સાધ્ય છે.
અહીં એ પણ સમજવું' જરૂરી છે કે ધ્યાન માટે પ્રથમ ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થવી જોઇએ. ચિત્તની એકાવ્રતા માટે ચિત્તની નિર્મળતા અને તે માટે શરીરની શુદ્ધિ આવશ્યક છે.
ચિત્તની નિર્મળતા માટે મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય ભાવની સાધના જરૂરી છે.
મૈત્રી આદિ ચાર ભાવનાઓ,
મૈત્રી આદિ ચાર ભાવનાનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. વિશ્વમાં કાઈપણ પ્રાણી પાપ ન કરી, કોઇપણ પ્રાણી