________________
પ
આ ધારણા શરૂ કરવા પહેલાં સસારના સર્વ વિષા પ્રત્યે વૈરાગ્ય અને પચપરમેષ્ઠિ પ્રત્યે પરમ અનુરાગ પ્રકટાવવાના હોય છે. જેમ કે સ'સારના સર્વ પદાર્થ અનિત્ય, અશરણુ અને દુઃખદાયક છે, ત્યારે પંચપરમેષ્ઠિ ભગવંતા શાશ્વત, શરણભૂત અને મંગળદાયક છે.
ધારણાના અભ્યાસ કરતાં અતઃકરણની વૃત્તિમાં એ મુખ્ય દાષા આવે છે, એક લય અને બીજો વિક્ષેપ. નિદ્રા ખીનતા તે લય છે અને ધારણાના વિષયથી અન્ય વિષયના આકારે ચિત્તનું પરિણમવું તે વિક્ષેપ છે.
લયના હેતુ અજીણુ, અત્યાહાર, અતિશ્રમ આદિ દાષા છે. તેના નાશ કરવા માટે હિત-મિત-ભાજી થવું, શક્તિથી વિશેષ શ્રમના ત્યાગ કરવા, ઉચિત નિદ્રા લેવી તથા ચિત્તની તમાશુષુ જેમ એ થાય તેવા આહારવિહાશદિના અભ્યાસ પાડવા જોઇએ.
વિક્ષેપદોષ ટાળવા માટે એકાગ્રતાના અભ્યાસ પાડવા જરૂરી છે અને વૈરાગ્ય તથા સમભાવની ભાવના વધારવી જોઇએ.
લય અને વિક્ષેપથી જુદા ચિત્તના એક ત્રીજો ઢાષ છે તેને કષાય કહેવાય છે. કષાય એટલે તીવ્ર રાગ-દ્વેષ, તેને ધીરતા અને સાવધાનતાથી દૂર કરવા. રાગના હેતુએ અનુકૂળ શબ્દાદિ વિષયા છે અને તેના હેતુભૂત શરીર, ધન, ધાન્ય તથા સ્ત્રી-પુત્રાદિ છે, દ્વેષના હેતુએ પણ પ્રતિકૂળ એવા તે વિષયે જ છે. વિષયની અસારતા, તુચ્છતા અને