________________
૪૮૮
દેવું. તે કેન્દ્રસ્થ એટલે મધ્યસ્થ છે, માટે તેને ન્યાયાધીશની ઉપમા પણ આપી શકાય. અથવા અનેક સંતાનનો પિતા જેમ બધા સંતાને પ્રત્યે મધ્યસ્થભાવ રાખે છે, તેના જેવી ઉપમાવાળે આત્મા છે.
ગુણ માત્રની ઉત્પત્તિ મધ્યસ્થભાવમાંથી થાય છે. જીવ માત્ર પ્રત્યેની મૈત્રી, ગુણી માત્ર પ્રત્યેને પ્રમદ, દુઃખી માત્ર પ્રત્યેની કરુણા અને પાપી માત્ર પ્રત્યેની ઉપેક્ષા, તે બધા મધ્યસ્થ ભાવના જ વિશિષ્ટ પ્રકારો છે. સુખ-દુઃખ પ્રત્યેનું માધ્યશ્ય તે વૈરાગ્ય કહેવાય છે. વિશ્વચિગ્ય પ્રત્યેનું માધ્યચ્યું તે વિવેક કહેવાય છે. માધ્યશ્ય એ સર્વત્ર વિવેક-બુદ્ધિજન્ય હેય છે વિવેક બુદ્ધિ, ન્યાય બુદ્ધિ, શુદ્ધ બુદ્ધિ, નિષ્પક્ષ બુદ્ધિ, મધ્યસ્થ બુદ્ધિ વગેરે એક જ અર્થને કહેનાર ભિન્ન ભિન્ન શબ્દો છે. ન્યાયબુદ્ધિ એ સત્યને પક્ષપાત છે. અહિંસાદિ વતે, ક્ષમાદિ ધર્મો, દાન કે પૂજન આદિ શુભ પ્રવૃત્તિઓ એ ન્યાયબુદ્ધિનું ફળ છે. સર્વ પ્રકારનાં શુભ અનુષ્ઠાને અને સર્વ પ્રકારનાં સુભાષિત ન્યાય બુદ્ધિવાળા, મધ્યસ્થ વૃત્તિવાળા અને આત્મસ્થિત મહાપુરુષોના હદયમાંથી નીકળેલાં છે, તેથી તે ઉપાદેય બને છે. સામાયિક ધર્મ પણ મધ્યસ્થભાવને દ્યોતક છે, કારણ કે–પરમ મધ્યસ્થ એવા શ્રી જિનેશ્વર ભગવંતોએ તેને પ્રથમ જીવનમાં જીવી, તેનું ફળ પ્રાપ્ત કરીને, વિશ્વકલ્યાણને માટે તેને ઉપદેશ આપ્યો છે.