________________
માધ્યરને ભંગ થાય છે, ત્યાં ત્યાં કલેશ, ભય, રાગ અને શોક વગેરે ઉભા થાય છે. શક્તિ કરતાં અધિક આહાર લેવાથી રોગ થાય છે અને અધિક બોલવાથી વરવિરોધ થાય છે. આ જગતમાં જે કાંઈ દુખે છે, તે માધ્યમથ્યને ન જાળવવાના પરિણામે હોય છે. આથી જ કહ્યું છે કે-જે કમ ખાઓ, ગમ ખાઓ, તો શરીર અને મન એ બન્નેના મારથી બચાય છે. જિનપ્રવચન માધ્ય.
ધ્યમય હોવાથી, તેનાં રહસ્થા અને ગુપ્ત અર્થો મધ્યસ્થ પુરુષોની આગળ જ પ્રગટ થાય છે. | મધ્યસ્થ શબ્દમાં “મધ્ય”નો અર્થ કેન્દ્ર થાય છે અને “સ્થ” એટલે તેમાં કેન્દ્રમાં રહેવું તે. બધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર આત્મા છે. પ્રવૃત્તિઓ તે ચક્ર છે પ્રત્યેક ચક્ર (Circle)ને કેન્દ્ર (Center) હેયજ છે. તે રીતે રાત-દિવસ થતી મન, વચન અને કાયાની જે બધી પ્રવૃત્તિઓ છે, તેઓનું પણ કેન્દ્ર એક જ છે અને તે આત્મા છે. આત્મા તરફ લક્ષ્ય કેન્દ્રિત કરીને જે કાંઈ પ્રવૃત્તિ થાય, તે બધી મધ્યસ્થ કહેવાય.
મધ્યસ્થ માણસ તે કહેવાય છે, કે જે બધાનું સાંભળે પણ કઈમાં ખેંચાય નહિ તેનું ખેંચાણ માત્ર સત્ય તરફ જ હોય છે. અહીં સત્ય એક આત્મા છે, કેમ કે તે જ કાયમી રહેનાર છે અને તે જ ચિદઘન અને આનંદઘન છે. આથી જ્ઞાન- તિ અને આનંદને પ્રકાશ બધે તેમાંથી જ છે-તેના આધારે છે. આપણે પ્રવૃત્તિ માત્રનું મૂળ કેન્દ્ર આત્મા છે. તેનું કદી પણ વિમરણ ન થવા