________________
૩૫૨
પરમગુણ પ્રકર્ષવાન, અચિત્યશક્તિયુક્ત, પરાર્થરસિક,
લોકનાયક શ્રી જિનેશ્વરદેવ છે. તેમની મૂર્તિનાં દર્શનાદિ કરવાથી નેત્રની સફલતા, ચિત્તની પ્રસન્નતા, અંતઃકરણની તુષ્ટિ અને શુભ ભાવની વૃદ્ધિ આદિ અવશ્ય થાય છે. શુભ ભાવની વૃદ્ધિથી કર્મક્ષય અને કર્મક્ષયથી
સર્વકલ્યાણની પ્રાપ્તિ થાય છે. શંક–મૂત્તિનાં દર્શનથી દેવનાં દર્શન કર્યા જેટલો સંતેષ
માન, એ શું ઘટિત છે? સમાધાન-શ્રી જિનમતમાં દેવની ભક્તિ કરવા માટે દેવની
મૂર્તિનું જ આલંબન પ્રધાનપણે લેવાનું ફરમાવ્યું છે. દેવમૂર્તિના આલંબન વિના દેવની ભક્તિ કરવાનું કાર્ય સર્વક્ષેત્ર અને સર્વ કાળમાં અશક્યવત્ બને છે. જેઓ દેવની મૂત્તિને માનતા નથી, તેઓ દેવની વિદ્યમાનતા સિવાયના ક્ષેત્રમાં અને કાળમાં દેવની ભક્તિ કરવા
માટે અસમર્થ બને છે. શકા–દેવની વિદ્યમાનતા સિવાયના ક્ષેત્રમાં અને કાળમાં
દેવનું નામ લેવાથી કે દેવની આજ્ઞા પાલવાથી શું દેવની
ભક્તિ થઈ શકતી નથી ? સમાધાન–થઈ શકે છે. તે પણ દર્શન, વંદન, અર્ચન, પૂજન
અને ધ્યાનાદિ વડે ભક્તિ કરવા માટે મૂત્તિની પરમ આવશ્યકતા છે. તે કાર્યો મૂત્તિ સિવાય બની શક્તાં નથી જેઓ મૂર્તિ માનવાને નિષેધ કરે છે, તેઓ દેવનાં દર્શન, વંદન, અર્ચન, પૂજન અને ધ્યાનાદિ દ્વારા થતાં