________________
४७४
નિવિદત બનશે, તેવો નિશ્ચય દઢ રહેવો જોઈએ. ભાષ્યની સાધનાને નિર્મળ અને નિર્વિઘન બનાવવા માટે પ્રત્યેક પ્રસંગમાં અને પ્રત્યેક વ્યક્તિમાં પ્રમોદ ભાવનાનો વિષય, કે જે ગુણાધિક્તા છે, તેને શોધી કાઢવા જોઈએ અને ચિત્તમાં તેની અનુમોદના તથા ઔચિત્ય ન ઘવાય તેવી રિતે પ્રશંસાદિ કરવા જોઈએ. ગુણાનુરાગિણ દષ્ટિથી ગુણી આત્માઓના આશીર્વાદ મેળવવાની યોગ્યતા વિકસે છે અને લેકમાં પણ પ્રિય બનાય છે. દેવદષ્ટિ એ એક ઉગ્ર કોટિનું વિષ છે, જે ભાવ જીવને મારે છે. ગુણદષ્ટિ એ અમૃત છે, જે જીવને અજર-અમર બનાવે છે. | શ્રી નમસ્કાર મંત્રનું ધ્યાન એ પ્રમાદ ભાવની ઉપાસનાનું સર્વશ્રેષ્ઠ સાધન છે. ચોદ પૂર્વને સાર નમસ્કાર છે, અર્થાત્ પ્રમાદ ભાવના ચૌદ પૂર્વને સાર છે. નવકાર સર્વ શાસ્ત્રોમાં વ્યાપીને રહેલો છે, અર્થાત્ પ્રમોદ ભાવના સર્વ શાસ્ત્રોમાં વ્યાપીને રહેલી છે. નમો એ મોક્ષનું બીજ છે, અર્થાત્ પ્રમોદ ભાવના એ મોક્ષનું બીજ છે. જેમ નમસ્કાર સર્વ પાપનાશક અને સર્વ મંગલેમાં પ્રથમ મંગલ છે, તેમ પ્રમોદ ભાવના પણ સર્વ પાપપ્રણાશક અને સર્વ મંગલમાં પ્રથમ મંગલ છે.
ગ્રન્થના પ્રારંભમાં ઈષ્ટદેવતાના નમસ્કારરૂપ ભાવમંગલ ગન્ધકારો કરે છે, એનો અર્થ એ છે કે સર્વ શાસ્ત્રો અને મંગલ કાને પ્રારંભ પ્રમોદ ભાવનાથી થાય છે. સર્વ અનુષ્ઠાને પ્રારંભ “છામિ યમામળો” સૂત્રથી થાય