________________
૪૭૯ '
દુઃખ પ્રત્યે દ્વેષ કરીએ છીએ ત્યારે પિતાનું દુઃખ ભૂલાઈ જાય છે. પિતાના દુઃખને ભૂલી જવામાં જ સાધના માત્રનું રહસ્ય છુપાયેલું છે. આ કાર્ય ચિત્તમાં કરુણા ભાવનાને દઢ કરવાથી સહેલાઈથી પાર પડે છે. કારણ કે-વ્યક્તિગત દુઃખ પ્રત્યેના દ્વેષનું સ્થાન સર્વ દુઃખી જીવોના દુઃખને બનાવવું એ જ કરુણા ભાવનાનું રહસ્ય છે. “મારાં દુખે નાશ પામે.”—એવી વૃત્તિના સ્થાને “સર્વનાં દુઃખો નાશ પામે.”—એવી ભાવના જ્યારે પ્રબળ બને છે, ત્યારે અન્યને અપકાર કરવાની મલિન ચિત્તવૃત્તિ આપોઆપ ચાલી જાય છે.
બીજા દુઃખની અપેક્ષાએ પિતે સુખી છે-એમ જાણ - વાથી, પોતાના રૂપને, બળ, ઘન, બુદ્ધિને, કુલને અને જાતિ વગેરેને મદ થાય છે, તેને દપ પણ કહેવાય છે. આ દ૫થી દુઃખી જીવો પ્રત્યે એક પ્રકારને તિરસ્કારભાવ ઉત્પન્ન થાય છે. આત્મદષ્ટિએ બધા જ તુલ્ય છે–એમ જાણીને, દુઃખી છ પ્રત્યે જ્યારે કરુણા ભાવના સ્થિર કરવામાં આવે છે, ત્યારે પિતાનો દ૫ અથવા અહંકાર ચાલે જાય છે અને બીજા પ્રત્યે તિરસ્કાર પણ દૂર થઈ જાય છે.
પ્રત્યેક વસ્તુનું બળ સ્થાનવિશેષ પામીને જ હિતકર કે હાનિકર બને છે. સ્થાનભેદે તે જ વસ્તુ હાનિકર મટીને હિતકર બને છે અથવા હિતકર મટીને હાનિકાર થાય છે. વિષયને પ્રેમ હાનિકર છે. તે જ પ્રેમ જે પરમેષ્ઠિઓ પ્રત્યે દાખવવામાં આવે, તો તે અત્યંત લાભકારક બને છે. વિષય પ્રત્યે વિરક્ત લાભદાયક છે. તે જ વિરક્તિ જ્યારે ધર્મ