________________
૪૮૩ સેવનથી રોગીને અકાળે નિવારી ન શકાય તે મધ્યસ્થપણું રાખવું હિતકર છે, તેમ અહિતના સેવનથી નહિ અટકનાર
જીવ ઉપર પણ તેવા પ્રસંગે એટલે કે–તેને સુધારવાને કાળ નહિ પાયે હોવાથી આપણું માધ્યમથ્ય ટકાવી રાખવું તે ઉભયના હિતમાં છે. માધ્યશ્મથી અમર્ષ અર્થાત્ વર લેવાની ઈચ્છારૂપ ચિત્તમળ ટળે છે.
(૨) વૈરાગ્યવિષયક માયથ્ય-વૈરાગ્ય એ વિષયક સુખ ઉપરની એક પ્રકારની અરુચિ યા છેષ છે. આ બ્રેષ પ્રશસ્ત હોવાથી પુન્યાનુબંધી પુન્યને હેતુ છે અને તે પરિણામે સાંસારિક સુખ ઉપર માથથ્ય અર્થાત્ રાગદ્વેષરહિતપણું પેદા કરે છે. સુખ ઉપર શ્રેષની જેમ દુખ ઉપર રાગ, એ પણ પ્રશસ્ત મનભાવ હોવાથી, પુન્યાનુબંધી પુન્યને હેતુ બની પરિણામે માધ્યચ્ય અર્થાત્ રાગ-દ્વેષરહિતપણું ઉત્પન્ન કરે છે. વષયિક સુખની પાછળ રહેલ જન્મ-મરણાદિ દુખની પરંપરાને વિચાર તથા તેનાથી પુનઃ નવીન નવીન કર્મબંધનતા આદિના વિચારોથી સુખ ઉપર દ્વેષ થાય છે અને “દુઃખ તે કર્મનિજેશમાં ઉપકારક તથા પરિણામે દુર્ગતિના દુઃખેના નિવારણમાં કારણભૂત છે.” એ જાતિના વિચારોથી દુખ ઉપર રાગ જાગે છે.
(૩) સુખવિષયક માયથ્ય-સુખ વિષયક માધ્યશ્યમાં દષ્ટાંત શ્રી તીર્થકર ભગવતેના ચરમ ભનું, તેમજ અનુત્તર વિમાનના દે, ધન્ના-શાલિભદ્ર, પૃથ્વીચંદ્ર, ગુણસાગર વગેરે મહાપુરુષનું છે. પુન્યાનુબંધી પુન્યને ઉપલેગ