________________
૪૮
આ કરુણા ભાવનાથી સ્કર્ષ અને પાપકષાદિ દુષ્ટ ચિત્તવૃત્તિઓને વિલય થઈ જાય છે અને શુદ્ધ પ્રણિધાનના પ્રભાવે ધર્માનુષ્ઠાનની સિદ્ધિ નિર્વિન બને છે.
હીનગુણું પ્રત્યે તિરસ્કાર અને દુઃખીના દુખ પ્રત્યે ઉપેક્ષા કરનાર જીવને મોક્ષ હજી ઘણે દૂર છે એમ કહી શકાય. જે બીજાને તિરસ્કાર કરે છે, તે પિતે જ તિરસ્કારને પામે છે. જે દુઃખીઓની ઉપેક્ષા કરે છે, તેને દુઃખ વખતે બીજાઓની સહાય મળતી નથી. કરુણાભાવનાના અભ્યાસથી આ તિરસ્કાર અને ઉપેક્ષા રૂપ અશુભ ચિત્તવૃત્તિઓનો વિલય થાય છે, તેથી તે કરુણાભાવનાને કેળવવી એ પરમ કર્તવ્ય બને છે.
હિતે દેશનું દાન એ સર્વશ્રેષ્ઠ કરુણા છે. શ્રી જિનપ્રવચન હિતોપદેશરૂપ છે, માટે તે કરુણામય છે. શ્રી જિનેશ્વરે પુષ્કરાવ મેઘના સ્થાને છે. તે મેઘમાંથી હિતેપદેશરૂપ અમૃતની વૃષ્ટિ થાય છે. વર્ષો વડે ભવ્ય જી પરમ શાન્તિને પામે છે. “લાનની સેવા એ તીર્થકરોની સેવા છે અને શ્વાનની ઉપેક્ષા એ તીર્થકરોની જ ઉપેક્ષા છે.” આ વાક્ય પણ કરુણાના માહામ્યને જ કહે છે. '
દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારને ધર્મ ચતુર્વિધ શ્રીસંઘમાં કરુણાનું જ માહાસ્ય સૂચવે છે. દાન વડે સ્વ અને પર ઉપકાર થાય છે, શીલ વડે અને તપ વડે પણ સ્વ-પર દુઃખનું નિવારણ થાય છે. ગૃહિધર્મ અને યતિધર્મ વડે પણ અહિંસાનું પાલન થતું હોવાથી કરુણા ૩૧