________________
૪૭૮
શુભ અધ્યવસાયા પહેલાં ઉત્પન્ન થાય છે અને પછી પ્રવૃત્તિ થાય છે તથા કયારેક અન્નદાનાદિની પ્રવૃત્તિ પ્રથમ થાય છે, અને પછી શુભ અધ્યવસાયા જાગે છે; અથવા પ્રગટ થયેલ અધ્યવાસાયે વૃદ્ધિ પામે છે. એટલે કે-શુભ પ્રવૃત્તિથી શુભ અધ્યવસાયે ન હાય તા આવે છે અને ન હેાય તા વધે છે, તેમ જ આ શુભ પ્રવૃત્તિથી અશુભ અધ્યવસાયે આવ્યા હાય તા દૂર થાય છે અને ન આવ્યા હોય તે અટકે છે.
“ મને કદી પણ દુઃખ ન આવે.” ઇત્યાદિ લાગણી દ્વેષરૂપ છે. તેના વિષય પાતાનુ દુ:ખ છે. દુઃખ પ્રત્યેના દ્વેષ પ્રતિકૂળ સ ંજોગેા તરફ પણ દ્વેષ કરાવે છે. દુઃખને દૂર કરવા માટે સર્વ પ્રાણીએ રાત-દિવસ પ્રયત્ન કરે છે, પશુ દુઃખ ઉપર રહેલા દ્વેષને દૂર કરવાના પ્રયત્ન કોઈ વિરલ જ કરે છે. ક્રમના ઉદયથી પ્રાપ્ત થયેલ વર્તમાન દુઃખને દૂર કરવું, એ જીવના હાથની વાત નથી, પરં તુ તે દુઃખ ઉપરના દ્વેષ દૂર કરવાની વાત જીવના હાથમાં છે. વમાન દુ:ખ દૂર કરવામાં જીવ પરતંત્ર છે, પણુ દુઃખ ઉપરના દ્વેષને કરવામાં તે સ્વતંત્ર છે. દુઃખ ઉપરના દ્વેષ દૂર થતાં જ દુઃખ એ તત્ત્વતઃ દુઃખ રહેતું જ નથી, અર્થાત્ દુઃખ વખતે પણ ચિત્તને સ*કલેશ ઉત્પન્ન થતા નથી.
દુઃખ ઉપર રહેલા દ્વેષને દૂર કરવાના અત્યંત સરલમાં સરલ ઉપાય કરુણાભાવના છે. કરુણાભાવના એટલે બીજાઆનુ દુઃખ દૂર કરવાની વૃત્તિ. પેાતાનાં દુઃખ ઉપર આપણે જે દ્વેષ કરીએ છીએ, તેને બદલે જ્યારે સના