________________
૪૦. સ્થાનને ભેદી, તેને જડમૂળથી ઉખેડી નાખવા માટે અનુભવસિદ્ધ જ્ઞાની પુરુષોએ અસરકારક અનેક ઉપાય બતાવ્યા છે. એ બધા ઉપાયોનો સુંદર સંગ્રહ એકી સાથે એક જ સ્થાને જે કયાંય જોવા મળતું હોય, તે તે શ્રી નવપદજીની આરાધનામાં જોવા મળે છે.
જો કે મોક્ષની સાથે જોડનાર તમામ ધર્મવ્યાપારે એ એગ જ છે, તેમ છતાં તે તમામ વ્યાપારમાં શ્રી નવ પદનું સ્થાન સૌથી મોખરે છે. સાધક એના આલંબનથી જ આત્મકલ્યાણના માર્ગમાં સાચી પ્રગતિ સાધી શકે છે. બીજાં પણ તમામ ધર્મવ્યાપારમાં કેઈ ને કોઈ પ્રકારે નવ પદમાંના કેઈ પદનું સ્થાન રહેલું જ છે.
શ્રી સિદ્ધચકની આરાધનાથી આત્મકલ્યાણકારી સાચા સદ્દગુણોનો કેવી રીતે વિકાસ થતું રહે છે અને આત્માના શત્રુભૂત એવા મુખ્ય મુખ્ય દોષને કેવી રીતે હાસ થવા માંડે છે, તે બાબતને આત્મનિરીક્ષણ પૂર્વક વારંવાર ખૂબ સૂકમ દષ્ટિથી વિચારવી જરૂરી છે. જે એ પ્રમાણે થાય, તે દિન-પ્રતિદિન આરાધનામાં વેગ આવ્યા વિના રહે નહિ, શ્રી સિદ્ધચકે એ સદગુણનું સંગ્રહસ્થાન છે. સાચે એક પણ સદગુણ એ નથી કે જે શ્રી સિદ્ધચકમાં ન હોય. આથી શ્રી સિદ્ધચક્રને સગુણરૂપી રના રત્નાકરની ઉપમા આપવામાં આવી છે, તેની સાચી આરાધના કરનારને ગુણ રત્નનું દારિદ્ર કદી પણ હેતું નથી.