________________
૪૬
પરાકાષ્ઠા છે, અર્થાત્ “મારે આ પરમાત્માની ભક્તિ જ જોઇએ. હુ· પરમાત્માના ભક્ત જ બન્યા રહું, તે સિવાય મને બીજું કાંઇ જ ન જોઇએ.'' અહી સાધકને મુક્તિ કરતાં પણ ભક્તિ વધુ પ્રિય બને છે. ભક્તિના આ પરિણામમાં તેના ચિત્તમાં સદૈવ પરમાત્મા જ વસી રહ્યા હોય છે. આથી આ પિરણામમાં આગળ વધતાં તેના દ્વૈતભાવ સવથા ભૂસાઈ જાય છે. પેાતાની જાતને તે પરમાત્મામાં વિલીન કરે છે, અર્થાત્ યાતા ચેયસ્વરૂપ અને છે. પછી તેને મારા આત્મા જ અરિહંતાદિ છે-એમ નવેય પદાની સાથે ઐકન્યભાવ ઉત્પન્ન થઈ આત્મતત્ત્વના સ`પૂર્ણ સાક્ષાત્કાર થાય છે, કે જે ધમનું અતિમ ધ્યેય છે, ચેાગના અંતિમ આદેશ છે અને સાધનાનું અંતિમ ફળ છે. આ રીતે શ્રી નવપદજીનું ધ્યાન અતે આત્માને ચૈતન્ય અને આનંદની પરમ સીમાએ પહેાંચાડનારુ અને છે. તેનાથી બીજા અવાન્તર લાભા સહેજે પ્રાપ્ત થાય તેમાં કાંઈ નવાઈ નથી. ચેાગથી જે સિદ્ધિએ પ્રાપ્ત થાય છે, તે બધી શ્રી નવપદજીના એકાગ્રતાપૂર્વક થતાં યાનથી પ્રાપ્ત થાય છે, કારણુ કે-શ્રી નવપદજીમાં તન્મયતા પ્રાપ્ત થવી એ એક પ્રકારના શ્રેષ્ઠ ચેાગ જ છે.
શ્રીપાળ મહારાજાએ શ્રી નવપદના આલંબનથી કેવી સુંદર તન્મયતા-એકાગ્રતા કેળવી હતી અને કેવી રીતે આત્મતત્ત્વના સાક્ષાત્કાર કર્યાં હતા, તે હકીકત પ્રસ્તુતમાં ખાસ ઉપયાગી હાવાથી અહી... રજુ કરીએ છીએ.