________________
મનુષ્યના ચિત્તની અંદર આતં–શૈદ્ર ધ્યાનરૂપી અગ્નિ સતત સળગ્યા કરે છે, તેથી વિવેકને અંકુર નષ્ટ થાય છે, વિષયલેલુપતા વધે છે, એવા વિવેકહીન અને વિષયલોલુપી ચિત્તની અંદર પણ સમતારૂપી વેલને ઉગાડવા માટે અચિંત્ય ચામર્થ્ય ધરાવનાર ૧ અનિત્ય, ૨ અશરણ, ૩ સંસાર, ૪ એકત્વ, ૫ અન્યત્વ, ૬ અશુચિ, ૭ આશ્રવ, ૮ સંવર, ૯ નિર્જરા, ૧૦ લોકસ્વરૂપ, ૧૧ સ્વાખ્યાત ધર્મ, ૧૨ બોધિ દુર્લભ એ બાર ભાવનાઓ, આ મોહમય જગતમાં મોહન નાશ માટે સત્કર્ષપણે વિજયવંત વતે છે.
પ્રથમ અનિત્ય ભાવના દુનિયાના સ્કૂલ અને સૂક્ષમ પદાર્થો, બાહ્ય અને અત્યં. તર દ્રવ્ય, તથા સર્વ પ્રકારના સંયોગો અનિત્ય છે, એમ વિચારવાથી એ પદાર્થો ઉપરની આસક્તિ છુટી જાય છે. તેથી એ પદાર્થોના વિગ વખતે થનારું દુઃખ ટળી જાય છે.
પ્રાણીઓને જે પદાર્થો ઉપર રાગ, આસક્તિ, મૂછ થાય છે તે બધા પદાર્થો અકાંડ ક્ષણભંગુર છે, સદાકાળ સ્થાયી નથી, હંમેશા પરિવર્તન પામવાના રવભાવવાળા છે. એવા પદાર્થોને સ્થિર માનીને તેના ઉપર મમત્વભાવ રાખ, એ જ સર્વ અનર્થોનું મૂળ છે. માટે સર્વ અન. થનાં મૂળભૂત મમત્વભાવને (પરપદાર્થોમાં મારાપણાની બુદ્ધિને) દૂર કરવા માટે મારાપણું તરીકે માનેલા પદાર્થોની વિનશ્વરતાને ક્ષણે ક્ષણે વિચાર કરે અત્યંત આવશ્યક છે,