________________
૪૭૦
તીર્થકદેવોએ ઉપદેશેલે છે.” શ્રત એટલે આગમ અને ચારિત્ર એટલે તેમાં કહેલ ક્ષમાદિ દશ પ્રકારનાં યતિધર્મમાં જે આત્માએ રક્ત છે તે આત્માઓ સંસારરૂપી સાગરને, સહેલાઈથી ઉત્તરોત્તર સુખ પામતાં પામતાં પારને પામે છે, પામ્યા છે અને પામશે. - એ પ્રમાણે સદ્ભાવનાથી સુરભિ હૃદયવાલા, સ્પષ્ટ આત્મતત્ત્વને પામેલા, મોહની નિદ્રા અને મમત્વથી દૂર ગયેલા આત્માએ ચક્રવર્તિ અને ઇદ્રના સુખોથી પણ અધિક અનુપમ સુખલકમીને શીધ્ર પામે છે.
આ ભાવના ભાવવાથી દુર્બાન થતું નથી, રાગ-દ્વેષ ક્ષય પામે છે, અને મોક્ષ નજીક આવે છે. તેથી હે ભવ્યા ત્માઓ! જે તમારે એકાંતે હિત સાધવું હોય તે આ ભાવનાઓને નિરંતર આશ્રય કરો!!! નિરંતર આશ્રય કરો!!! નિરંતર આશ્રય કરો !!!
-
-
-