________________
ધર્મકલ્પવૃક્ષનું મૂળ (મૈત્રી આદિ ચાર ભાવનાઓ.)
मैत्री निखिल-सत्त्वेषु, प्रमोदो गुणशालिषु । माध्यस्थमविनीतेषु. करुणा सर्वदेहिषु ॥ १ ॥ धर्मकल्पद्मस्यै त्यता, मूलं मैयादिभावनाः । यैनज्ञाता न चाभ्यस्ताः, स तेषामतिदुर्लभः ॥ २ ॥
અર્થ–સર્વ પ્રાણિઓને વિષે મિત્રી, ગુણવાનને વિષે પ્રમોદ, અવિનીતને વિષે માધ્યસ્થ તથા સર્વ દેહધારીઓને વિષે કરુણા-આ ચાર મૈથ્યાદિ ભાવનાઓ ધર્મકવૃક્ષનું મૂળ છે. જેઓએ આ ભાવનાઓને જાણ નથી અને તેને અભ્યાસ કર્યો નથી, તેઓને ધર્મની પ્રાપ્તિ અતિદુર્લભ છે.
૧–મિત્રી ભાવના. મૈત્રી આદિ આ ચાર ભાવનાઓ જીવમાં ધર્મ પામ્યા પહેલાં વિપરીત રીતે જોડાયેલી હોય છે. ધર્મ પામ્યા પછી તે સ્વ-સ્થાનમાં જોડાયેલી હોય છે. એટલે કે-પહેલાં કેવળ