________________
૪૫૮
છઠ્ઠી અશુચિ ભાવના.
જે શરીર ઉપર આપણને અત્યંત માહ અને મૂર્છા થાય છે અને તેની ખાતર આપણે ઘણા પાપકર્મી આચરીએ તે આપણા શરીર સબંધી તાત્ત્વિક વિચાર કરવામાં આવે તે તુરત જ જણાશે કે તે ખરેખર અશુચિમય અને તેથી જરા પણ તેના ઉપર માહ કરવા જેવા નથી. શરીરનું આદિ કારણે તથા ત્યારપછીના પણ કારણેા અચિથી જ ભરેલાં છે. તે આ પ્રમાણે— પ્રથમ મનુષ્ય કવલાહારથી આહાર ગ્રહણ કરે છે, તે આહાર તરત જ શ્લેષ્માશયમાં પ્રવાહીરૂપ બને છે, તે વખતે જ અત્યંત અશુચિ અની જાય છે, પછી પિત્તાશયના રસથી જ્યારે પાર્ક છે, ત્યારે ખાટા બને છે ત્યારે પણ અશુચિ જ હાય છે. પકવ થયા પછી વાચ્વાશયમાં વાયુથી રસ અને કચરા જુદા થાય છે, કચરા એ વિષ્ટા અને મૂત્રરૂપ બને છે અને રસમાંથી રૂધિર, રૂધિરમાંથી માંસ, માંસમાંથી મેદ, મેદમાંથી હાડકાં, હાડકામાંથી મજ્જા, અને મજ્જામાંથી શુષ્ક થાય છે. આ બધુ શ્લેષ્મથી માંડીને શુક્ર સુધીના પરિણામ અચિ હાય છે.
વળી આ શરીરની અશુચિના પ્રતિકાર પણ અશકય છે ઉતન, રૂક્ષણ, સ્નાન, અનુલેપન, ધૂપ અને સુવાસિત માલ્યાદિ વડે પણ તેની અશુચિ દૂર થતી નથી. કપૂર, ચંદન, અગરૂ, કેશર આદિ સુગધી પદાર્થી પણ શરીરના સૂપથી ઉલટાં અપવિત્ર બને છે. કારણ કે શરીર પાતે જ અપવિત્ર છે.