________________
૪૬૬ જતી પણ નથી. કેઈ સરોવરમાં પાણી આવવાના બધા માર્ગે ઉઘાડા હોય તો તે દ્વારા પાણી આવે છે, પરંતુ તે બધા માર્ગો બંધ કર્યા હોય તે થોડું પણ પાણી સરોવરમાં દાખલ થઈ શકતું નથી. કેઈ વહાણની અંદર છિદ્રો હય તે તે દ્વારા તેમાં પાણી દાખલ થાય છે, પરંતુ તે છિદ્રો બંધ કર્યા હોય તે થોડું પણ પાણી વહાણની અંદર પ્રવેશ કરતું નથી. તેમ મિથ્યાત્વાદિ આશ્રવ દ્વારા ઉઘાડાં હોય તે જીવમાં કમ દાખલ થાય છે, અને તે દ્વાર બંધ થાય તે સંવરયુક્ત જીવમાં કમને પ્રવેશ થતું નથી. સંવરથી આશ્રવનાં દ્વાર બંધ થાય છે. તે સંવર ક્ષમા વગેરે ભેદોથી અનેક પ્રકારને છે મિથ્યાત્વના ઉદયને રોકવાથી અવિરતિસમ્યગદષ્ટિ આદિ ગુણસ્થાને મિથ્યાત્વનો સંવર હોય છે. દેશવિરતિ આદિ ગુણસ્થાને અવિરતિને સંવર હેય છે, અપ્રમત્ત સંયતાદિ ગુણસ્થાને પ્રમાદને સંવર હેય છે, ઉપશાન્તમોહ અને ક્ષીણ મહાદિ ગુણસ્થાને કષાયને સંવર હોય છે અને અયોગી કેવલી ગુણસ્થાને સંપૂર્ણ યુગના સંવર હોય છે.
આ રીતે મહાવ્રતાદિનું પાલન તથા ગુપ્તિ આદિનું પાલન આત્માને ગુણકારી થાય છે, એમ વિચારવું એ સંવર ભાવના છે. એ રીતે વિચારવાથી આત્મા સંવર માટે જ ઉદ્યત થાય છે. કહ્યું છે કે શાતા વેદનીય આદિ કર્મ અને જ્ઞાનાવરણયાદિ પાપકર્મને નહિ ગ્રહણ કરવા લાયક મન, વચન, કાયાના જે વ્યાપાર તેનાથી યુક્ત સુંદર સમાધિ છે