________________
૧૩
વ્યાપહાર, આદિ દુઃખાને પામે છે. પરલેાકમાં અશુભ ગતિને પામે છે અને નિન્દનીય અને છે.
તથા પરિગ્રહધારી, મુખમાં માંસની પેશી લઈને જતા શિકારી પક્ષીના જેમ ખીો શિકારી પક્ષી શિકાર કરે છે તેમ પરિગ્રહધારીના ખજાનાના અહિ જ ચાર વિગેરે લુંટી લે છે. બહારનાં ઉપદ્રવ ન આવે તે પણ દ્રવ્ય કમાવવામાં, સાચવવામાં પણ દુઃખ જ રહેલુ છે. વળી ઇન્ધનથી જેમ અગ્નિ તૃપ્ત નથી થતા તેમ લેાભી મનુષ્ય ગમે તેટલુ દ્રવ્ય મલવા છતાં તૃપ્ત થતા નથી. અને તેથી કાર્યકા ના પણ વિવેક રાખતા નથી તે કારણે આ લેાકમાં પણ ‘આ લુખ્ખ છે' એવી નિન્દાનું પાત્ર બને છે અને પરલેાકમાં અશુભ ગતિને પ્રાપ્ત કરે છે.
અથવા તે હિ'સાદિ આશ્રવા દુ:ખ જ છે સ્વ અને પર ઉભયને દુઃખકારી છે. જેમ મને અપ્રિય વસ્તુ દુઃખકારી થાય છે તેમ સર્વ પ્રાણીને અપ્રિય વસ્તુ દુ:ખદાયક છે. જેમ મને મિથ્યા અભ્યાખ્યાનથી તીવ્ર દુઃખ થાય છે, તેમ સવ પ્રાણીઓને મિથ્યા અભ્યાખ્યાનથી દુ:ખ થાય છે. મને ઇષ્ટ દ્રવ્યના વિયેાગ વખતે જેમ દુ:ખ થાય છે તેમ સવ પ્રાણીઓને ઈષ્ટ દ્રવ્યના વિચાગ વખતે દુઃખ થાય છે એમ વિચારવુ,
તેવી રીતે મૈથુન પણ રાગ-દ્વેષરૂપ હોવાથી દુઃખ સ્વરૂપ છે. તેથી મૈથુનથી વિરામ પામવુ' અને વિષયભાગની ઈચ્છા ન થાય તે માટે ચેગ્ય ઉપાયાનુ સેવન કરવુ તે