________________
કપ૩
આ રીતે વિચાર કરવાથી અનિત્ય અને અસ્થિર પદાર્થો ઉપર રાગ ઓછો થાય છે અને ત્યારપછી સ્વાભાવિક રીતે જ આત્મા સત્ય અને સ્થિર સુખ મેળવવા માટે પ્રયત્નશીલ બને છે.
કદી નાશ ન પામે તેવું સ્થિર, અને સત્ય સુખ મુક્તિ સિવાય અન્યત્ર નથી. એ મુક્તિનાં સુખ મેળવવા માટે આત્મા તે જ ઉદ્યમી બને કે જ્યારે અસ્થિર પદાર્થો ઉપર તેની આસક્તિ નાશ પામે. એ જ કારણે જ્ઞાનીઓએ સંસા૨માં રહેલી, રાગને ઉત્પન્ન કરનારી સઘળી સામગ્રીનું સ્વરૂપ સમજાવતાં કહ્યું છે કે “ઈષ્ટજનને સંયોગ, ઋદ્ધિ અને સંપત્તિ, શબ્દાદિ વિષયથી ઉત્પન્ન થતું સુખ, નિરોગી અવસ્થા, આહાર, નાન, પાન, વસ્ત્રાદિથી પુષ્ટ બનેલું શરીર, યૌવન અને જીવન, એ સઘળું અનિત્ય છે, અકાંડ ભેગુર છે, માત્ર થોડા વખત જ સુંદર રહેનારાં છે.” માટે આવા ક્ષણભંગુર પદાર્થો ઉપર સનેહ ધારણ કરવો અધિક દુખને નેતરનાર બને છે તેથી તે ત્યાજ્ય છે, અને એક મુક્તિ સુખ જ ઉપાદેય છે.
બીજી અશરણ ભાવના નિરાશ્રય, જનવિરહિત, વનમાં કઈ બળવાન, સુધાથી વ્યાપ્ત બનેલે, માંસને અથી એ સિંહ જેમ કેઈ હરિ ણનાં બચ્ચાને હશે ત્યારે તે હરિનાં બચ્ચાને જેમ કે શરણ નથી, તેમ જન્મ, જરા, મરણ, વ્યાધિ, વહાલાને વિગ, અપ્રિય સંયોગ, ઈછિતની અપ્રાપ્તિ, દરિદ્રતા,