________________
કા
એટલે કે- અમૃતાનુષ્ઠાનરૂપે પરિણમવાનું છે, તે તહેતુ અનુષ્ઠાન અને અમૃતાનુષ્ઠાન-એ બે અનુષ્ઠાને મુક્તિનું કારણ હેવાથી આત્માને અત્યંત હિત કરનાર છે.
અમૃત અનુષ્ઠાનનું લક્ષણ બાંધતાં કહ્યું છે કે – તદ્દગત ચિત ને સમય વિધાન,
ભાવની વૃદ્ધિ ભવભય અતિ ઘણે; વિસ્મય પુલ પ્રમાદ પ્રધાન,
લક્ષણ એ છે અમૃતક્રિયા તણે.” અથ–જેમાં ચિત્તની એકાગ્રતા છે, જે શાસ્ત્રોક્ત વિધિથી યુક્ત છે, જેમાં શુભ ભાવની અત્યંત વૃદ્ધિ છે, જે કરતી વખતે ભાવને અતિશય ભય છે, ચિત્તમાં વિસ્મય છે, શરીરમાં રેશમાંચ ખડા થાય છે અને દરિદ્રને નિધાનની પ્રાપ્તિથી કે જન્માંધને નેત્રની પ્રાપ્તિથી પણ જેમાં અધિક આનંદ છે, એ પ્રકારના લક્ષણવાળા અનુષ્ઠાનને અમૃતાનુષ્ઠાન કહેવાય છે.
આ અનુષ્ઠાન અમરણને એટલે મુક્તિને અવધ્ય હેતુ હેવાથી, તેને અમૃતાનુષ્ઠાન કહેવાય છે. આવું અનુઠાન જે એક જ વાર પ્રાપ્ત થઈ જાય, તે પણ તેને અનુભવરૂપી રસાસ્વાદ કદી પણ જતું નથી.
આ રીતે શાસ્ત્રકારોએ આરાધનાના ફળ તરીકે મુક્તિપ્રાપ્તિના ધ્યેયને નજર સમક્ષ રાખવાનું ભારપૂર્વક ફરમાવ્યું છે અને અનંતર કે પરંપરાએ જેનાથી મુક્તિપદની પ્રાપ્તિ થાય તેવા અનુષ્ઠાનને જ તાવિક અનુષ્ઠાને તરીકે વર્ણવ્યા છે.