________________
સ્વાધ્યાય,
પ્રભુભક્તિ આદિ આત્મકલ્યાણના અનેક અનુષ્ઠાને છે. પરંતુ કેઈપણ અનુષ્ઠાનમાં પ્રગતિ કરવી હોય અને તેમાં દઢ સ્થિરતા પ્રાપ્ત કરી તેના પારને પામવું હોય તે ક્રિયાની સાથે સાથે તેને અનુકૂલ સ્વાધ્યાયની પણ અનિવાર્ય આવશ્યકતા રહે છે. અનુકૂળતા મુજબ અને અનુકૂલ સમયે સ્વાધ્યાય ચાલુ રાખવાથી અનુષ્ઠાનના મૂળ ઘણાં ઉંડા ઉતરી શકે છે.
અનુકૂલ સમયે અને યોગ્ય રીતિએ પાણી મળવાથી જેમ બગીચે લીલાછમ બન્યો રહે છે, અને ફળીભૂત બને છે, તેમ સ્વાધ્યાયના બળથી ધર્મ અનુષ્ઠાનરૂપી બગીચો હમેશા લીલાછમ બન્યા રહે છે અને અનુષ્ઠાન ફળ આપવા સમર્થ બને છે. અથવા અનુષ્ઠાનને જે આત્માના રોગ નિવારણ માટેનું ઔષધ કહીયે તે સ્વાધ્યાયને તેના પશ્યના