________________
અંદરથી જ મળે છે. બીજા સુખમાં વચ્ચે કાંઈ પીડા-ઉદ્વેગ થાય છે, જ્યારે મોક્ષના સુખમાં કાંઈ પીડા-અડચણઅંતરાય થતાં નથી. બીજા સુખમાં અન્ય પાસેથી વસ્તુ, ધન, સમય, સહાય આદિની અપેક્ષા રહે છે. નિવૃત્તિ નગરીનાં સુખ પિતાની ઉપર જ આધાર રાખે છે. બીજ સુખને છેડે આખરે આવે છે અને ત્યારે પાછું દુઃખ થાય છે. મેક્ષના સુખને છેડો કદી આવતું નથી. દુનિયા દારીના સુખોને સરખાવવા માટે બીજી ચીજ હોય છે, જ્યારે મોક્ષના સુખ અવશ્ય–અતર્યું છે અને તેની સાથે સરખાવી શકાય એવી આ દુનિયામાં કોઈપણ ચીજ નથી. જ્યારે એને અનુભવ થાય, ત્યારે જ તે કલ્પી શકાય તેમ છે. અને ખરે ખ્યાલ તે સંપૂર્ણજ્ઞાની અથવા વિશિષ્ટ મહાગીને આવી શકે તેમ છે.
વળી પણ કહ્યું છે કે-જે સંસારના તમામ સુખે એકત્ર કરી તેને વગ કરવામાં આવે, અર્થાત તેટલાને તેટલાએ ગુણવામાં આવે તે પણ તે સુખ સંપૂર્ણ સ્વરૂપલાભ અને સહજાનંદસ્વરૂપ મુક્તિ જે આત્માએ પ્રાપ્ત કરી છે, તે આત્માના સુખના એક પ્રદેશના સુખ જેટલું પણ થઈ શકતું નથી. વળી જે મુક્તાત્માઓના સુખને માત્ર એક અંશ જ લેવામાં આવે, તે પણ તે સુખ સમગ્ર કાકાશમાં સમાઈ , શકે નહિં.
જેમ ગ્રામ્યજન કદાચ નગરના ગુણને જાણે તે પણ ઉપમા યોગ્ય વસ્તુના અભાવથી તેનું વર્ણન કરી શકતે
૨૮