________________
૪૩
તમામ મુમુક્ષુ સપુરુષે આ મુક્તિ તરફ કેમ આકષયા છે, તે હકીકત પણ સમજવા યોગ્ય છે. ઉત્તમ પુરુષે કદાપિ નિષ્ફળ પ્રવૃત્તિ કરતા નથી. તેઓ પ્રાપ્ત સુખને છોડીને હર્ષ પૂર્વક સંયમના આકરા માર્ગે પ્રયાણ કરવાનું પસંદ કરે છે, તેનું મુખ્ય કારણ તેઓને પિતાની વિવેકદષ્ટિથી અને ન્યાયબુદ્ધિથી સંસારની અસારતા બરાબર લક્ષમાં આવી ગઈ હોય છે અને એવી દઢ પ્રતીતિ થયેલી હેય છે કેમુક્તિપદની પ્રાપ્તિ થયા સિવાય આપણા તરફથી બીજા જીને સંપૂર્ણ અભય કદી પણ મળી શકવાનું નથી, પણ કોઈ ને કાંઈ બીજાના કષ્ટમાં નિમિત્તભૂત બનવું જ પડે છે. ઉત્તમ પુરુષને પિતાના દુઃખ કરતાં પણ પરનું દુઃખ વધુ કષ્ટકારક બને છે. વળી શાસ્ત્રવચનથી સંયમના ફળ તરીકે પ્રાપ્ત થનાર મુક્તિપદની સુંદરતા પિતાના જ્ઞાનમાં બરાબર અંકિત થયેલી હોય છે. એ ફલશુદ્ધિ ઉપરની અવિચલ શ્રદ્ધાથી જ તેઓને સંયમજીવન કષ્ટકારક નહિ પણ આનંદદાયક બને છે.
શાસ્ત્રોમાં મુક્તિ સુખનું વર્ણન કરતાં ફરમાવવામાં આવ્યું છે કે-વાં મરણ નથી. ઘડપણ નથી, પીડા નથી, શોક નથી, ઉગ નથી, ભય નથી, ક્ષુધા નથી, તૃષા નથી, અને કઈ પણ પ્રકારના ઉપદ્રવ નથી. ત્યાં તે તદ્દન સ્વાભાવિક બાધા -પીડા વગરનું, પિતાને સ્વાધીન, અન્ય ઉપમા વગરનું અનંત સુખ, સુખ અને સુખ જ છે. બીજા સુખે બહાર લેવા જવા પડે છે, જ્યારે એ મુક્તિના સુખે સ્વભાવે