________________
નથી, તેમ જ્ઞાની પુરૂષે પણ મુક્તાત્માઓનું સ્વરૂપ જાણતાં હેવા છતાં પણ તેઓનું સ્વરૂપ કહેવાને માટે સંસારમાં કોઈ ઉપમા નહિં મળવાથી કહી શકતા નથી.
એવું અનુપમ, અનુત્તર અને અવિનાશી કદી પણ ક્ષય ન પામે તેવું સુખ મુક્તિમાં રહેલું છે.
મુક્તિપદને પામેલા મુક્તાત્માએામાં આવા પ્રકારના અનુપમ સુખની જેમ બીજા પણ અનંતગુણે પ્રગટ થયા હોય છે, પરંતુ તે બધા ગુણે ખરી વાણ દ્વારા વર્ણવી શકાતા નથી. પં. પદ્યવિજયજી ગણિવર શ્રી નવપદની પૂજામાં સંક્ષેપમાં જણાવતાં કહે છે કે– “નવપદનું ધ્યાન ધરતાં નવ ક્ષાયિક ગુણ આવે.” અર્થાત-જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભગ, ઉપભેગ, વીર્ય, સમ્યક્ત્વ અને ચારિત્ર એ નવ ક્ષાયિક ભાવે મુક્તાત્માઓમાં પ્રગટ થાય છે.
ક્ષાયિક ભાવે જ્યારે આ ગુણે પ્રગટે, ત્યારે ત્રણેય ભુવનના તમામ જીવોને એકી સાથે તારી શકે એવું અચિંત્ય સામર્થ્ય તેઓમાં પ્રગટ થાય છે, તેથી યોગ્ય રીતે તેઓનું જે કઈ આલંબન લે છે, તેઓ તેમને ક્ષણવારમાં પરમાત્મપદની પ્રાપ્તિ કરાવનારા બને છે.
સંસારમાં ખેંચી રહેલા જીના ઉદ્ધાર કરવાનું ઉત્કૃષ્ટ સામર્થ્ય સિદ્ધાત્માઓમાં હોય છે. ગુણપ્રકર્ષની ટોચે પહોં. ચેલા સિદ્ધાત્માઓનું ધ્યાન એ કર્મ રૂપી વનને બાળી નાખવા માટે દાવાનળ સમાન છે, એમ શાસ્ત્રોમાં ફરમાવ્યું છે.