________________
va
મિત્ર ગણુ છુ. પણ હવે મારે તે તમામ પાપસ્થાનકાના ત્યાગ કરવા જોઇએ અને એ ત્યાગ કરવા માટેના પુરુષા કરવાનું બળ હે પ્રભુ ! મારામાં કયારે પ્રગટ થશે ?
હે પ્રભેા ! મારા હૃદયમાં સર્વ જીવા પ્રત્યે મૈત્રીભાવ, દુઃખી જીવા પ્રત્યે દ્રવ્યથી અને ભાવથી કરુણાભાવ, ગુણી જના પ્રત્યે પ્રમાદભાવ અને કાઈપણ ઉપાયથી સુધાર્યા ન સુધરી શકે તેવા જીવા પ્રત્યે મધ્યસ્થ ભાવ, આવી પ્રશસ્ત ભાવનાઓ મારા હૃદયમાં કયારે જાગૃત થશે ?
હે ભગવન્ ! હુ· નવતત્ત્વ ભણ્યા, પણ તત્ત્વમય ન થયા, ક્ષેત્રસમાસ ભથૈ પણ આંતર શત્રુઆના સમાસ કરતાં ન શીખ્યા, ચાવીસ દડક મે... વાંચ્યા, વિચાર્યા પણ અંદરના ક્રૂડ મૈં ન તયા, જીવના પાંચસે ત્રેસઠ ભેદવિચાર્યા પણ અભેદમય ન થયા, ક્રમ ગ્રંથ વાંચ્યા પણુ ક્રમની વિવિધ પ્રકૃતિએના વિચાર કરી મારા પેાતામાંથી તે પ્રકૃતિના ત્યાગ કરવા સમથ ન થયા, શાસ્રા વાંચ્યા, સાંભળ્યા પણ તેના ભાવાથ ન સમજ્યા, સત્સ ́ગ કર્યાં પણ સત્યજ્ઞાન ન થયું. ભવચક્રમાં અનેકવાર સદ્ગુરુ મળ્યા પશુ સ્વચ્છંદે ચાલવાની અનાદિ ટેવ ન જવાથી તેમને ત્રિકરણ ચાગે અનુસર્યા નહિ, તેમના પ્રત્યે નમ્ર બન્યા નહિ. પ્રમાક્રના પરિહાર કર્યાં નહિ. વિષય-કષાયની તીવ્રતા ટળી નહિ અને તેથી તેમની આજ્ઞાનું પાલન કર્યું નહિ, તેથી તેમના સચાગ ફૂલ્યા નહિ.
શ્રી તીથકર ભગવ'તાના ચરિત્રા વાંચ્યા, સાંભલ્યા પણ