________________
મારામાં ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષવૃત્તિ છે કે નહિ? એમ ક્ષણે ક્ષણે જેવા હું કયારે ભાગ્યશાળી થઈશ?
તત્વથી જોઈએ તો આત્મા એ જ દેવ છે, આત્મા એ જ જ્ઞાન છે, આત્મા એ જ દર્શન છે, આત્મા એ જ ચારિત્ર છે, આત્મા એ જ સંવર છે, આત્મા એ જ પંચ પરમેષ્ઠિ છે, આત્મા એ જ સુખ છે, આત્મા એ જ સમતા છે, આત્મા એ જ મેક્ષ છે, આમા એ જ અખંડ આનંદ છે અને આપણે આત્મા એ જ પરમ આલંબનરૂપ છે એમ યથાર્થ પ્રતીતિ મને ક્યારે થશે?
રાગ-દ્વેષ રહિત હે પ્રભો આપનો ઉપદેશ સર્વથા સત્ય છે, અત્યંત પ્રિય છે, ત્રિકાલ હિતકર છે, વળી તે મને પ્રમાણભૂત છે, હવે હું તેને અધિકારી થવા પ્રયત્ન કરીશ. કર્મવશ જીવોની ખામીઓ જોઈ તેમને તિરસ્કાર નહિ કરું, પણ ભવસ્થિતિને વિચાર કરી તેમના પ્રત્યે સમભાવ રાખવા પ્રયત્ન કરીશ. - હે પ્રભે! તારું આગમ સાંભળ્યા પછી હવે હું બહારને ખટે ઢોંગ ધારણ કરીશ નહિ. એ દંભ સેવીશ નહિ, બેટે ઠગ થઈશ નહિ, હું શુદ્ધ ભક્ત થવા પ્રયત્ન કરીશ. પ્રભો ! તારા માર્ગને હું કલંક લગાડીશ નહિ, તારા શાસનને નિંદાવીશ નહિ, તારા શાસનની સેવાને અનાદર કરીશ નહિ, અશુદ્ધ પ્રરૂપક બનીશ નહિ. સ્યાદવાદનું સ્વરૂપ