________________
૪૨૪ એટલે લાંબા સમય સુધી સુખપૂર્વક બેસી શકાય તેવું કઈ આસનવિશેષ સિદ્ધ કરવું જોઈએ તથા આરાધના માટે નક્કી કરેલા સૂત્રોનું અથવા મંત્રાલ'નું ઉચ્ચારણ શુદ્ધ હેવું જોઈએ. ચિત્તની વૃત્તિઓને બાહ્ય વિષમાંથી ખેંચી તેને હૃદયકમલ આદિ નક્કી કરેલા સ્થાને જોડવી જોઈએ અને બાહ્ય “આલંબન' તરીકે પ્રતિમાદિ વિષયમાં દષ્ટિને સ્થિર-સ્થાપન કરવી જોઈએ.
સામાન્ય નિયમ એ છે કે–સ્કૂલ ઉપરથી સૂક્ષ્મમાં જવું, મૂર્ત ઉપરથી અમૂર્તમાં જવું અને આલંબન ઉપરથી નિરાલંબનમાં જવું. આલંબન વડે કમે ક્રમે સૂક્ષ્મ, અમૂર્ત અને અપરિચિતમાં પહોંચી શકાય છે,
શ્રી નવપદજીની સાથે લીનતા કેળવવા માટે જીવનમાં પહેલાં ન્યાય, નીતિ, સદાચાર, પ્રેમ, પરોપકાર અને વ્રતનિયમાદિ કેળવવા જોઈએ, તેમ જ પછી દાન, પૂજન, તેંત્ર, જાપ અને ધ્યાનને અભ્યાસ પાડવું જોઈએ. ધ્યાન માટે ચિત્તની નિર્મળતા અને શરીરની શુદ્ધિ આવશ્યક છે. ચિત્તની નિર્મળતા માટે મત્રી, પ્રદ, કરુણા અને માધ્ય
સ્થભાવ તથા શરીરશુદ્ધિ માટે તપ જરૂરી છે. દીર્ઘકાળ સુધી વચ્ચે આંતરું પાડ્યા વિના આદર, સત્કાર અને બહુમાનપૂર્વક જ્યારે આરાધ્ય તવોને અભ્યાસ સ્થિર થાય છે, ત્યારે ચિત્તના મળ, વિક્ષેપ અને આવરણ આદિ દે નાશ પામે છે અને તેના પરિપાકરૂપે સાધ્યની સાથે સાધ કને એકાગ્રતા પ્રાપ્ત થાય છે.