________________
કરેલું 'एवं च संथुणतो सो जाओ, नवपयसु लीणमणो ।
जइ कहवि तह पेक्खइ, अपाणं तम्मयं चेव ॥ १ ॥
શ્રી સિરિ સિરિવાલ કહામાં ચરિત્રકાર શ્રી રતનશેખર સૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે-રાજા શ્રીપાળ પિતાની અંતિમ અવસ્થામાં શ્રી નવપદોના ધ્યાનમાં અને સ્તુતિમાં એવા લીન મનવાળા બની ગયા હતા, કે જે ધયાનના પ્રભાવે પિતાના આત્માને તન્મય અર્થાત શ્રી નવપદમય જેવા લાગે.
અહીં શ્રી નવપદેના ધ્યાનને પ્રભાવ થાતાને કેવા પ્રકારે ફળદાયી નિવડે છે, તેનું યથાસ્થિત આલેખન છે. શ્રી નવપદોની ભક્તિ અને આરાધના જીવનમાં જ્યારે વિધિ પૂર્વક થાય છે, ત્યારે તેનું અંતિમ ફળ શ્રી નવપદમય પિતાને આત્મા છે, તેવા દર્શનમાં પરિણમે છે. એ દર્શન અંતે આત્મા પોતે જ શ્રી નવપદસ્વરૂપ છે–એવા જ્ઞાનમાં પરિણમે છે. એ જ્ઞાન છેવટે ધ્યાતાને પિતાના આત્મામાં જ લીન મનવાળો બનાવે છે. આત્માનું આ જાતિનું જ્ઞાન એ જ મેક્ષનું અસાધારણ કારણ બને છે.
- શ્રી યોગશાસ્ત્ર નામના મહાશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ધ્યાનનું રહસ્ય બતાવતાં, એ જ વાતને નીચેના શબ્દોમાં ફરમાવે છે – 'मोक्षः कर्मक्षयादेव स चात्मज्ञानतो भवेत् । ध्यानसाध्यं मतं तच्च, तद्ध्यानं हितमात्मनः ॥ १ ॥