________________
કરે
ક્ષમાથી સર્વ પુરુષાર્થની અનાયાસે સિદ્ધિ થાય છે, શુભ કમં પ્રકૃતિને બંધ થાય છે અને પરિણામે સદગતિ અને મોક્ષસુખના ભાગી બનાય છે.
એ રીતે માનથી વિનયને નાશ થાય છે, માયાથી વિશ્વાસને નાશ થાય છે અને લેભથી સર્વ ગુણેને નાશ સર્જાય છે. આ કેધાદિને તેના પ્રતિપક્ષી ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતેષથી જીતવા માટે સર્વથા ઉદ્યમશીલ રહેવું ખાસ જરૂરી છે. ઉપરાંત કપાયે ઉપર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરી ચૂકેલા શ્રી પરમેષ્ટિ ભગવતે પ્રત્યે નમ્ર વૃત્તિવાળા બની સાચો નમસ્કારભાવ કેળવે, તે પણ કષાને જીતવાને એક શ્રેષ્ઠ ઉપાય છે અને તેથી શ્રી નવપદજીના આરાધકનું તે પણ એક પરમ કર્તવ્ય બને છે.
ઉપર જણાવ્યું તેમ આરાધક જેમ ક્ષમાવાન, દાન્ત અને શાન્ત હોય છે, તેમ આરાધનાને યોગ્ય બીજા ઉચિત ગુણેને પણ તે અવશ્ય અર્થી હોય છે. તે ગુણે નીચે પ્રમાણે છે.
પરિમિત અને સારિક આહાર કરવાવાળે, ઉપાસનામાં પ્રીતિવાળો, ધૈર્યવાન, દયાળુ, પરોપકારપ્રિય, અપપતાપી, દેવ-ગુરુને ભક્ત, વિનયવાન, ઈર્ષા-માત્સર્ય–ષ-પરનિંદા, આદિથી પરામુખ, ગુણાનુરાગી, સુશીલ, પ્રસન્ન મનવાળો, સવ નું હિત ચિંતવનારે, સર્વ જી પ્રત્યે કરુણારસથી તરબળ હદયવાળો, સર્વ અને આત્મસ્વરૂપે જેના