________________
૪૨૧
વિષય, શ્રી સિદ્ધ ભગવંતના શાશ્વત રૂપના ધ્યાનથી “રૂપ” નામને વિષય, શ્રી આચાર્યના પંચાચારની સુગંધથી “ગંધ” નામને વિષય, શ્રી ઉપાધ્યાયના જ્ઞાનામૃતના રસાસ્વાદથી “ર” નામને વિષય અને મુક્તિની સાધનામાં લીન સાધુ મહારાજના સ્પર્શથી “સ્પર્શ' નામને વિષય જીતવાનું બળ પ્રગટે છે.
આ રીતે શ્રી નવપદજીના સાચા આરાધકે પોતાની સામગ્રી અને સર્વ શક્તિને અશુભ વિષમાંથી નિવારી ગુમ વિષયમાં જોડવાનું સંપૂર્ણ લક્ષ્ય રાખવું જરૂરી છે. ઈન્દ્રિયજયને એ જ ધોરી માર્ગ છે. આ અભ્યાસ ધીમે ધીમે વૃદ્ધિ પામતે એક દિવસ સંપૂર્ણ ઇન્દ્રિયજય પ્રાપ્ત કરાવનારો બને છે.
(૩) શાન્ત એટલે કષાયને જીતનારો. ધ, માન, માયા અને લેભ-આ ચાર કષાયો સંસારરૂપી વૃક્ષનું મૂળ છે. આ ચાર કષાયોની તરતમતાથી સંસારની તરતમતા છે. આ કષાયોને જીતવાને ઉપાય પ્રથમ તેને પાતળા પાડવા તે છે. કેધાદિના કટુ વિપાકો તથા તેના પ્રતિપક્ષી ક્ષમાદિ ગુણેના માહાભ્યનું ચિ તન આદિ કરવાથી કેધાદિ કષાયે પાતળા પડે છે. જેમ કે-ક્રોધ એ ધર્મ-અર્થ-કામાદિ સર્વ પુરુષાર્થને ઘાતક છે. ઘણા કાળ સુધી પાળેલું સંયમ ક્ષણ વારના કેપથી નાશ પામે છે. ધથી મન, બુદ્ધિ, ઈન્દ્રિય અને શરીર ઉપર ઘણી ખરાબ અસર થાય છે. કે ધથી અશુભ કર્મને બંધ અને પરિણામે દુર્ગતિ થાય છે, જ્યારે