________________
૪૨૦
સંસારી અવસ્થામાં જીવ અનેક રીતે અનેક જીને અપરાધ કરી રહ્યો હોય છે અને તે કારણે તે કર્મથી ભારે બને છે. જ્યાં સુધી આ કર્મને ભાર ઘટે નહિ, ત્યાં સુધી આરાધનાને સાચો અધિકાર પ્રાપ્ત થતું નથી. સર્વ જની સાથે શુદ્ધ હૃદયથી ક્ષમાપના કરવા વડે જીવના અધ્યવસાય નિર્મળ થાય છે અને અધ્યવસાય નિર્મળ થવાથી કમને ભાર ઓછો થાય છે. આથી જેમણે આરાધનાના સાચા અધિકારી બનવું હોય, તેમણે સૌથી પહેલાં સર્વ જીવો પ્રત્યે કરેલા અપરાધોની ફરી ન કરવાના અયવસાયપૂર્વક ક્ષમાપના કરી લેવી જોઈએ.
(૨) દાન્ત એટલે ઇન્દ્રિયોને દમનારો-જીતનારો. અર્થાત્ શબ્દ, રસ, ગંધ અને સ્પર્શ રૂપ ઇન્દ્રિયના પાંચ વિષયેની વાસનાથી મનને રોકનારો. ઈન્દ્રિયના વિષયોનેકામનાઓને જીત્યા સિવાય મનુષ્ય કષાયે ઉપર વિજય મેળવવા માટે સમર્થ થતું નથી. ઈન્દ્રિયોને જીતવાને સરળ અને નિર્ભય ઉપાય પ્રથમ અપ્રશસ્ત વિષયોમાંથી તેને ખેંચી પ્રશસ્ત વિષયમાં જોડવી તે છે. પ્રશસ્ત વિષયમાં ઈન્દ્રિયોને જોડવી એનો અર્થ એ છે કે-આ ઇન્દ્રિયજય જેમણે કર્યો છે, તેમની ભક્તિ આદિમાં તેને જોડવી.
સંસારમાં એક બાજુ પાંચ વિષય છે અને બીજી બાજુ પાંચ પરમેષ્ઠિઓ છે. પાંચ પરમેષ્ઠિઓ પ્રત્યે ભક્તિ પ્રગટવાથી કમશઃ પાંચ વિષયને રાગ ટળે છે. જેમ કેશ્રી અરિહંતદેવની વાણીનું શ્રવણ કરવાથી “શબ્દ” નામને