________________
પામતે જાય છે, તેમ તેમ જીવને સંતેષગુણનો લાભ થત જાય છે. જીવનમાં જેમ જેમ સંતેષગુણની વૃદ્ધિ થાય છે, તેમ તેમ સુખ પણ વૃદ્ધિ પામે છે અને જ્યારે આ સંતોષગુણ પરાકાષ્ઠાએ પહોંચે છે, ત્યારે જીવમાં રહેલ અનંત તૃષ્ણા અને લેભ નામને દેશ નાશ પામે છે અને જીવને અનંત ઐશ્વર્યની પ્રાપ્તિ સહજ બની જાય છે.
સાધક શુદ્ધિ શ્રી નવપદની આરાધના કરનાર આરાધક આત્મા કે હોવો જોઈએ, તે માટે શ્રી સિરિ-સિરિવાલ-કહામાં જણાવવામાં આવ્યું છે કે-ક્ષમાવાન, દાન્ત અને શાન્ત આત્મા જ શ્રી નવપદજીની આરાધના કરી શકે છે, તેનાથી વિપરીત ગુણવાળો તેની આરાધના કરી શકતા નથી, કિન્તુ વિરાધક બને છે. તાત્પર્ય એ છે કે-કામ, ક્રોધ અને લેભએ ત્રણ પ્રકારના દોષ આત્મામાં આરાધનાને ભાવ ઉત્પન્ન થવા દેતા નથી. તે ત્રણ દેને જીતવા માટે અહીં તેને પ્રતિપક્ષી ત્રણ ગુણને મુખ્ય કરીને બતાવવામાં આવ્યા છે. ક્ષમાથી કેને, દાત્તતાથી કામને અને શાન્તતાથી લેભને નિગ્રહ થાય છે. તે ત્રણેય ગુણોને ક્રમશઃ વિચારીએ.
(૧) ક્ષમાવાન એટલે ક્ષમાથી ભરેલો, ક્ષમાથી ભલે તે કહેવાય, કે જે બીજાના અપરાધને સહન કરતાં અને પિતાના અપરાધોની માફી માગતાં શી હાય, સર્વ જી પ્રત્યે મૈત્રીભાવ પ્રગટ્યો હોય અને કોઈ પણ જીવ પ્રત્યે વૈર અને વિરોધને પરિણામ ન હોય.'