________________
શ્રી અરિહંત પરમાત્માની ભક્તિના અચિત્ય પ્રભાવ અને તેમાં કાવ્યાનુ સ્થાન,
મેાક્ષમાગ ની આરાધનાના અનેક ચેાગે છે, પણ તેમાં ભક્તિ ચાત્ર એ સરળ, સુલભ અને અપેક્ષાએ શીઘ્ર સિદ્ધ થાય એવા ચાગ છે. વળી પ્રભુભક્તિગર્ભિત ભાવવાહી કાવ્યા આખાલ-ગાપાલ સને આકર્ષી શકે તેવી વસ્તુ છે. તેનું આલંબન સાધી આત્મા સહેલાઇથી પરમાત્માની સાથે એકાકાર થઇ શકે છે અને આ રીતે એક સાધારણુ શિક્ષિત મનુષ્ય પણ આ માર્ગે પ્રયાણ કરી પર’પરાએ પેાતાના આત્મનિસ્તાર કરી શકે છે. વળી ભક્તિ એ વૈરાગ્ય અને જ્ઞાનની પૂર્વભૂમિકા છે. તેના અભાવમાં પાયા વિનાની ઇમારતની જેમ વૈરાગ્ય અને જ્ઞાન સ્થિર રહી શકે નહિ માટે જ ભક્તિ વિના મુક્તિ નહિ અને ‘ભક્તિ એ મુક્તિની ક્રૂતિ’ છે-એમ કહેવાય છે.
6
અપેક્ષાએ મુક્તિ કરતાં પણ ભક્તિની શ્રેષ્ઠતા દર્શાવતાં કેટલાંક દૃષ્ટાન્તા આપણને જોવા મળે છે, પૂ॰ ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી ગણિવરે પાતાની એક ગૂર્જર કૃતિમાં કહ્યું છે કે—